મહારાષ્ટ્રના શોલાપુરમાં સ્કૂલો શરુ કરવામાં આવ્યાં બાદ 613 બાળકો કોરોનાથી સંક્રમિત થતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફેલાયું છે.
મહારાષ્ટ્રમાં ધોરણ 8 થી 12 ની શાળાઓ ચાલી રહી છે
શોલાપુરમાં 613 બાળકો કોરોનાથી સંક્રમિત થયા
આ ઘટના બાદ વાલીઓમા જબરો ડર
દેશના કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ ઘણા રાજ્યોમાં સ્કૂલો શરુ કરાઈ છે તો બીજા કેટલાક રાજ્યો સ્કૂલો શરુ કરવાની વિચારણા કરી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યમાં ધોરણ 8 થી 12 ની શાળાઓ જુલાઈની અધવચ્ચે શરુ કરી દેવાઈ છે.
મહારાષ્ટ્રમાં શોલાપુરમાં સ્કૂલો શરુ કરવામાં આવ્યાં બાદ 613 બાળકો સંક્રમિત થતા વાલીઓમાં ચિંતાનુ મોજુ ફેલાયું છે. દેશની કદાચ આ પહેલી ઘટના છે કે સ્કૂલો ખોલવામાં આવ્યાં બાદ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોય. સ્કૂલો ખોલવાનું બાળકો માટે ખૂબ ભારે પડી શકે છે.
વાલીઓમાં ફેલાયો ડર, હવે બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં અવઢવમાં
શોલાપુરમાં આટલી મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થયા બાદ વાલીઓમાં બાળકોને સ્કૂલોમાં મોકલવાને લઈને ખૂબ ડર ફેલાયો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે 12 જુલાઈથી કોવિડ મુક્ત ઝોનમાં શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો હતો. શાળાઓ ફક્ત ઉચ્ચ વર્ગના એટલે કે 8 થી 12 ના વર્ગ માટે જ ખોલવામાં આવી હતી.
શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરતી વખતે વર્ષા ગાયકવાડે કહ્યું, "રાજ્યના છેલ્લા વર્ગના બાળકો સુધી પહોંચવા માટે સહ-શૈક્ષણિક અભિગમ રાખવો એ સમયની જરૂરિયાત બની ગઈ છે." ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની શાળાઓ માર્ચ 2020 માં બંધ કરવામાં આવી હતી જ્યારે કોવિડ -19 રોગચાળો દેશમાં પ્રથમ આવ્યો હતો.
શિક્ષકો, કર્મચારીઓને રસી આપવામાં આવશે
મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત ઉપરાંત, શાળાના શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે રોગચાળો ફેલાવો મર્યાદિત કરવા માટે તમામ શિક્ષકો અને સ્ટાફના સભ્યોને પહેલા રસી અપાવવી જરૂરી છે.