સંશોધકોએ કહ્યું કે, કોરોના વાયરસની આ નબળાઈને એન્ટિબોડીઝ દ્વારા નિશાન બનાવી શકાય છે. આ સિવાય એવી સારવાર સંભવિત રૂપે શોધી શકાય છે જે તમામ પ્રકારો પર અસરકારક છે
ભારતીય મૂળના વૈજ્ઞાનિકની આગેવાની હેઠળની ટીમને મળી મોટી સફળતા
વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના તમામ મુખ્ય પ્રકારોની 'નબળી નસ' શોધી કાઢી
કોરોના વાયરસની આ નબળાઈને એન્ટિબોડીઝ દ્વારા નિશાન બનાવી શકાય છે: સંશોધકો
દેશમાં હવે કોરોના વાયરસના પ્રકારને લઈને એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિકની આગેવાની હેઠળની ટીમે તાજેતરમાં શોધાયેલ કોરોના વાયરસના BA.1 અને BA.2 સહિત SARS-CoV-2ના તમામ મુખ્ય પ્રકારોની 'નબળી નસ' શોધી કાઢી છે. સંશોધકોએ કહ્યું કે, કોરોના વાયરસની આ નબળાઈને એન્ટિબોડીઝ દ્વારા નિશાન બનાવી શકાય છે. આ સિવાય એવી સારવાર સંભવિત રૂપે શોધી શકાય છે જે તમામ પ્રકારો પર અસરકારક છે.
એક અભ્યાસમાં વાયરસના સ્પાઇક પ્રોટીનના નબળા સ્થાન પર ક્રાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી (ક્રાયો-ઇએમ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, વાયરસના શોધાયેલા નબળા સ્થાનને એન્ટિબોડીઝ દ્વારા નિશાન બનાવી શકાય છે. જે તેની સારવારનો માર્ગ પ્રદાન કરી શકે છે આ સાથે જે તમામ પ્રકારના પ્રકારો પર અસરકારક છે. મહત્વનું છે કે, આ સંશોધન ભારતીય મૂળના વૈજ્ઞાનિક શ્રીરામ સુબ્રમણ્યમની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે કોરોના વાયરસના ચેપના નવા કેસોની સંખ્યામાં લગભગ એક ક્વાર્ટરનો ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ એશિયાના કેટલાક ભાગોમાં તે હજુ પણ વધારે છે. WHOએ કહ્યું કે, ગયા અઠવાડિયે કોરોના વાયરસના 54 લાખ નવા કેસ નોંધાયા છે, જે પાછલા સપ્તાહની સરખામણીમાં 24 ટકા ઓછા છે. આ સાથે આફ્રિકા અને યુરોપમાં કેસોમાં લગભગ 40 ટકા અને મધ્ય પૂર્વમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે. આ સિવાય પશ્ચિમ પેસિફિકમાં કોરોનાથી થતા મૃત્યુમાં 31 ટકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં 12 ટકાનો વધારો થયો છે.