પીએમ મોદી અને તેમના ભાઈઓએ હીરા બાને અગ્નિ અર્પણ કર્યો. આ પહેલા પીએમ મોદીએ તેમની માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું
PM મોદીએ માતાની અર્થીને આપી કાંધ
PM મોદીના પરિવારનું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને છેલ્લાં એક-બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેઓની સતત સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત નાદુરસ્ત થતાં માતાને મળવા માટે ખુદ PM મોદી પણ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. તદુપરાંત હોસ્પિટલે મેડિકલ બુલેટિન પણ ગઇકાલે જાહેર કર્યું હતું. જેમાં તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી. પરંતુ આજે સવારમાં તેઓનું દુ:ખદ નિધન થયું છે. જેની ખુદ PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.
PM Modi performs last rites of his mother in Gandhinagar
PM મોદીએ માતાની અર્થીને આપી કાંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. પીએમ મોદી અને તેમના ભાઈઓએ હીરા બાને અગ્નિ અર્પણ કર્યો. આ પહેલા પીએમ મોદીએ તેમની માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
#WATCH | Gujarat: Last rites of Heeraben Modi, mother of PM Modi were performed in Gandhinagar. She passed away at the age of 100, today.
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ
PM મોદીના પરિવારનું નિવેદન
આ દુ:ખની ઘડીમાં તમારી પ્રાર્થનાઓ માટે આભાર, આપ સૌને વિનમ્ર પ્રાર્થના કે દિવંગત આત્માને પોતાના વિચારોમાં રાખો અને પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અને પ્રતિબદ્ધતાઓને યથાવત્ રાખો, આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે
We thank everyone for their prayers in these tough times. It is our humble request to everyone to keep the departed soul in their thoughts and continue with their pre decided schedule and commitments. That would be a befitting tribute to Hiraba: PM Modi family Sources https://t.co/BHfAOASg48
PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે
માતાના નિધનના આ દુઃખદ પળોમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નથી હટ્યા. હાલ જ PMO ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપવામાં આવી છે કે વધપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.' તમને જણાવી દઈએ કે 30મી ડિસેમ્બરના એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં રાજ્યના વિકાસના માર્ગ માટે PM મોદી રૂ. 7800 કરોડના ખર્ચે કરાયેલ વિકાસના કામોનું ઉદ્ઘાટન અને તેનો શિલાન્યાસ કરશે.
PM @narendramodi will join today’s scheduled programmes in West Bengal via video conferencing. These programmes include the launch of key connectivity related projects and the meeting of the National Ganga Council. https://t.co/eqOSpQcFZe