સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટિંગની તસવીરો શેર કરતા યુપી કેડરના IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોવાની ચૂંટણી પંચના સૂત્રો પાસેથી માહિતી મળી છે.
ચૂંટણી પંચની IAS સામે કડક કાર્યવાહી
ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદેથી હટાવાયાઃ સૂત્રો
સોશિયલ મીડિયા પર શેર કરી હતી તસવીરો
યુપી કેડરના IAS અધિકારી અભિષેક સિંહ સામે ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ દ્વારા અભિષેક સિંહને ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, IAS અધિકારી વિરુદ્ધ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટિંગની તસવીરો 'પબ્લિસિટી સ્ટંટ' તરીકે શેર કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી તસવીરો
સૂત્રો મુજબ, 2011 બેચના અધિકારીએ જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમની પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો અને તેમની પોઝિશનનો ઉપયોગ 'પબ્લિસિટી સ્ટંટ' તરીકે કર્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કર્યા.
IAS अभिषेक सिंह पर हुई कार्रवाई राज्य सरकारों और केंद्र के लिए एक नजीर की तरह है।
सोशल मीडिया के पॉजिटिव और निजी इस्तेमाल में कोई बुराई नहीं। मगर सरकारी सुविधाओं, पद और 'IAS-IPS स्टेटस' का इस्तेमाल लाइक, RT और फॉलोअर्स बटोरने के लिए नहीं होना चाहिए।
જનરલ ઓબ્ઝર્વર તરીકે કરાયા હતા નિયુક્ત
અભિષેક સિંહ ઉત્તર પ્રદેશ કેડરના 2011 બેચના આઈએએસ અધિકારી છે, જેમને અમદાવાદના બાપુનગર અને અસરવા વિધાનસભા વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આદેશમાં અભિષેક સિંહને તાત્કાલિક વિધાનસભા વિસ્તારને છોડવાનો અને પોતાના નોડલ ઓફિસરને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમને અપાતી તમામ સરકારી સુવિધાઓ પણ પરત લેવામાં આવશે. તેમના સ્થાને હવે 2011ની બેચના IAS અધિકારી કૃષ્ણ વાજપેયી હવે બાપુનગર અને અસરવામાં ઓબ્ઝર્વર ડ્યુટીની દેખરેખ કરશે.
#Gujarat : ECI has Immediately relieved & debarred from election duty to Abhishek Singh (IAS/2011/UP) General Observer for Bapunagar & Asarwa of Ahemdabad for sharing his posting/Joining as Observer in #Instagram as publicity Stunt.
Krishan Bajpai (#IAS/2010/KN) has replaced him pic.twitter.com/COp12GCj1m
જનરલ ઓબ્ઝર્વર પદેથી હટાવી દેવાયા
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે અધિકારીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી અને એટલા માટે તેમને તાત્કાલિક જનરલ ઓબ્ઝર્વર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.