શાહીન બાગમાં વિરોધ પ્રદર્શનનો 50મો દિવસ છે. ત્યારે ચૂંટણી કમિશનની 3ટીમોએ શાહીન બાગમાં સ્થિતીનું નિરીક્ષણ કર્યુ હતું. શાહીન બાગ દિલ્હી વિધાન સભાનો મહત્વનો મુદ્દો બની ચુક્યો છે.
શાહીનબાગમાં વિરોધ પ્રદર્શનનો 50મો દિવસ
ચૂંટણી કમિશનની ટીમ શાહીન બાગ પહોંચી
ચૂંટણી પંચની 3 ટીમોએ સ્થિતિનું નિરિક્ષણ કર્યું
શાહીનબાગમાં ECનું નિરિક્ષણ
શાહીન બાગમાં છેલ્લા 50 દિવસથી લોકો રસ્તા પર આંદોલન કરી રહ્યા છે. દિલ્હી પોલીસ પણ રસ્તો ખોલવામાં નિષ્ફલ રહી છે. ત્યારે આંદોલનકારીઓનાં વિરોધમાં સ્થાનીક લોકો રસ્તો ખોલાવવા શાહીનબાગ પહોંચ્યા છે. ત્યારે આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થવાની આશંકા છે. ત્યારે ઈલેક્શન કમિશન દ્વારા શાહીન બાગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
AAPનાં નેતાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ...
શાહીન બાગમાં હિન્દુ સંગઠનોનાં નામે લોકો આવી પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે 4 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી હતી. AAPના નેતા સંજય સિંહે કહ્યું હતું કે, ‘ભાજપ બીજી તારીખે હુમલો કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ભાજપે સોશિયલ મીડિયામાં તૈયારીઓ કરી હતી અને લોકોને 2 તારીખે શાહીન બાગ જવા માટે કહ્યું હતું.
શાહીન બાગ રાજકારણનો મુદ્દો
શાહીન બાગમાં CAAનાં વિરોધમાં 50 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શાહીન બાગ અત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચારનો મહત્વનો મુદ્દો બની ગયો છે. તમામ રાજકીય પક્ષો શાહીન બાગના નામે રાજકારણ રમી રહ્યાં છે. તેમજ શાહીન બાગનાં વિરોધથી કંટાળીને એક યુવકે ગઈ કાલે ફાયરિંગ પણ કર્યું હતું.