ભારતીય ચૂંટણી પંચે મધ્ય પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મધ્યપ્રદેશમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચને લોકસભાની ચૂંટણી 2019 માં ફંડના દુરૂપયોગનો આરોપમાં તથ્ય હોવાનું જણાયું છે જેને લઈને આ આદેશ આપ્યો છે.
ચૂંટણી પંચે કમલનાથ વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ
લોકસભા ચૂંટણી 2019માં સરકારી ફંડના દુરુપયોગનો છે મામલો
2019 લોકસભા ચૂંટણી સમયે MP માં મુખ્યપ્રધાન હતા કમલનાથ
નોંધનીય છે કે કમલનાથ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. તેમના પુત્ર નકુલ નાથે છિંદવાડા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. માનવામાં આવે છે કે આ ચૂંટણીમાં સરકારી નાણાંના દુરૂપયોગનો કેસ છે.
કમલનાથના બંને પદો પરથી રાજીનામાંની થઈ રહી છે માંગણી
જો કે અહીં વિધાનસભા પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીની શરમજનક પરાજય બાદ કમલનાથને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બંને પદો પરથી રાજીનામું આપવાની માંગણી કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચે કમલનાથ પાસેથી સ્ટાર પ્રચારકનો દરજ્જો છીનવી લીધો હતો. કમલનાથમાં તત્કાલીન કેબિનેટ પ્રધાન શ્રીમતી ઇમરતી દેવીને અશોભનીય લઈને ટિપ્પણી કરવા બાબતે ભારે હોબાળો મચી ગયો હતો. જેને લઈને ભાજપ CM શિવરાજસિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૌન ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કમલનાથે રાજકીય સન્યાસના સંકેત આપ્યા હતા
નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલા કમલનાથ દ્વારા પોતે ઘણું બધુ મેળવી લીધું છે અને હવે તેમને વધારે કશું જ મેળવવાની ખેવના રહી નથી એ મતલબનું નિવેદન આપ્યું હતું જેને લઈને તેમના રાજનીતિમાંથી સન્યાસ લેવાની અટકલોને વેગ મળ્યો હતો,અને એવી ચર્ચાઓને પણ વેગ મળ્યો હતો કે કમલનાથ સત્તાની જગ્યાએ સંગઠનમાંપ એક્ટિવ રહી શકે છે.