યુકેના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સમગ્ર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
યુરોપમાં કાળઝાળ ગરમીના કારણે સ્થિતિ વણસી રહી છે. પ્રથમ વખત તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું છે, રેલ-રોડ સેવાઓ પ્રભાવિત થઈ રહી છે અને શાળાઓ બંધ રહેવાની સ્થિતિમાં છે.
યૂરોપમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભીષણ ગરમી પડી રહી છે
જંગલોમાં લાગેલી આગના કારણે યૂરોપમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભીષણ ગરમી પડી રહી છે. જેને લઈને ઘણાં લોકોનું મોત થઈ ગયું છે. આંકડાઓની માનીએ તો યરોપમાં આ સમયે ગરમીની ઋતુ અનુમાન થી પણ વધુ ગરમ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યૂરોપિયન દેશોમાં જે તાપમાન છે. તેને જો ભારતના તાપમાન સાથે સરખાવવામાં આવે તો તે ઘણી વધારે છે. છેલ્લા એક દશકામાં ભારતમાં જેટલી ગરમી નથી પડી તેટલી એ ક્ષેત્રનો અનુભવ કરી લીધો છે. લોકોની વાત તો છોડો, અહીંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ ગરમી સહન કરવા તૈયાર નથી.
⛔️ No trains are running north of London today, and no services will run between London Blackfriars and St Pancras.
ℹ️ Please do not travel. There is no replacement road transport running.
⚠️ A reduced service will run south of London, with no services on some routes. pic.twitter.com/mJNeoFglrT
— London Luton Airport (@LDNLutonAirport) July 18, 2022
રસ્તાઓ પીગળ્યા, ટ્રેક ફેલાઈ રહ્યા છે રનવે પીગળ્યા
બીજી તરફ વાત કરીએ બ્રિટેનની તો ગરમીથી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, ત્યાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. બ્રિટેનમાં રસ્તા પર ડામર પિગળી રહ્યો છે. લૂટન એરપોર્ટ પર રન વે પણ પિગળી ગયો હતો. તો વળી રેલ્વે ટ્રેક પણ તાપમાન સહન કરી શકતા નથી, અને ટ્રેક ફેલાઈ રહ્યા છે, જેના કારણે કેટલીય ટ્રેન કેન્સલ કરવી પડી છે. યુકેમાં લોકોને ટ્રેનથી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
યુકેના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સમગ્ર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
સોમવારે લંડનની મિડલેન્ડ્સ રેલ્વે વતી લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. રેલ્વેએ તેની ચેતવણીમાં કહ્યું હતું કે ટ્રેક હવા કરતાં 20 ડિગ્રી વધુ ગરમ છે, એટલે કે જો તાપમાન વધે છે, તો તે રેલવે ટ્રેકને નુક્સાન થઈ શકે છે. યુકેના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગ્રાન્ટ શેપ્સે આ સમગ્ર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, રસ્તા અને રનવે ઓગળવા લાગ્યા છે અને રેલ નેટવર્ક પણ ખોરવાઈ જવાની આરે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તાપમાન માટે તૈયાર નહોતું.
આટલી ગરમીનું કારણ શું છે
હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈંગ્લેન્ડના કોનિંગ્સબેમાં પહેલીવાર 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નિષ્ણાતોએ આ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે હજુ ખરાબ સ્થિતિ આવવાની બાકી છે. તેમનું કહ્યા પ્રમાણે તાપમાન આના કરતા વધારે હશે અને તે ખૂબ જ સામાન્ય રહેશે. આ સમયે જૂનમાં પર્યાવરણ સંશોધન: આબોહવા શીર્ષક સાથે એક સંશોધન પ્રકાશિત થયું હતું.આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દેશના હવામાન પર હવામાન પરિવર્તનની અસરનો અભ્યાસ કર્યો છે.ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને અભ્યાસના સહ-લેખક બેન ક્લાર્કે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં હીટવેવ્સ વધુ તીવ્ર બની ગયા છે અને તેનું કારણ માત્ર આબોહવા પરિવર્તન છે.
સમગ્ર યુરોપમાં ધગધગતા અંગારા જેવી ગરમી
ખાલી બ્રિટેન જ નહીં, પણ ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ સહિત સમગ્ર યુરોપિય દેશ તપી રહ્યા છે. લોકો ઘરોમાંથી બહાર નિકળતા નથી. રસ્તાઓ પર સન્નાટો છે. મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. કોઈ ઓફિસે જાય છે, તો એટલા માટે કે ત્યાં એસી મળી રહે. મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન છે. ઈગ્લેન્ડના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, એક બે દિવસમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
સ્પેનમાં પણ આવી જ હાલત છે. કાર્લોસ હેલ્થ ઈંસ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર સ્પેનમાં સતત 8 દિવસથી હીટવેવ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં 510 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વર્ષે આગ લાગવાના કારણે 1.73 લાખ એકર જમીન બળીને ખાક થઈ ગઈ છે. પોર્ટુગલમાં પણ ભયંકર હાલત છે અહીં 500થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.
ફ્રાંસમાં દુકાનો તો ખુલી, પણ કોઈ ગ્રાહકો આવતા જ નથી
ફ્રાંસમાં પણ અમુક ભાગમાં 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયુ છે. અનુમાન છે કે, પારો હજૂ પણ ઉપર જશે. વધતી ગરમીના કારણે લોકો ઘરોમાંથી બહાર નિકળતા નથી. દુકાનો ખુલી રહી છે પણ કોઈ ગ્રાહકો આવતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફ્રાંસમાં હાલત હજૂ પણ ખરાબ થશે. આજે ફરી તાપમાન અહીં 40 ડિગ્રી સેલ્સિયસની પાર જવાનું અનુમાન છે. ફ્રાંસમાં જૂલાઈ બાદ ભીષણ ગરમીમાંથી રાહત મળવાના અણસાર છે.
સ્પેન અને પોર્ટુગલમાં ભીષણ ગરમી આગમાં 1000 થી વધુ લોકોના મોત નીપજ્યાં
સ્પેન અને પોર્ટુગલમાં તાજેતરના દિવસોમાં તીવ્ર ગરમીના કારણે એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ગયા ગુરુવારે પોર્ટુગલમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યું હતું, જે જુલાઈ મહિનાનો રેકોર્ડ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPMAએ દેશના મોટાભાગના વિસ્તારોમાં આગ લાગવાના જોખમની ચેતવણી આપી હતી. સ્થાનિક મીડિયા અનુસાર ઉત્તર મુહસા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગના ભયને કારણે 300 લોકોને તેમના ઘરોમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વહીવટીતંત્ર 2017 જેવી પરિસ્થિતિ ટાળવા માંગે છે જ્યારે જંગલમાં લાગેલી આગને કારણે 66 લોકોના મોત થયા હતા.