આવતીકાલનું ચંદ્રગ્રહણ એ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. જણાવી દઈએ કે આ પહેલા 25 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ સૂર્યગ્રહણ લાગ્યું હતું.
ચંદ્રગ્રહણની અસર પણ આવનાર 3 મહિના સુધી રહેશે
ચંદ્રગ્રહણ મેષ રાશિમાં અગ્નિ તત્વની નિશાનીમાં થશે
દરેક રાશિ પર તેની અસર પડવા જઈ રહી છે.
દર વર્ષે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે કાર્તિક પૂર્ણિમા 08 નવેમ્બર 2022ના રોજ છે પણ આ દિવસે જ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. એટલા માટે આ વર્ષે દેવ દિવાળી 07 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ચંદ્રગ્રહણની શરૂઆત 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે શરૂ થશે અને પછી મધ્યકાળ 4:29 કલાકે થશે. ગ્રહણની સમાપ્તિ એટલે કે મોક્ષકાળ સાંજે 6.19 કલાકે રહેશે. જણાવી દઈએ કે આ ગ્રહણ આંશિકરૂપે થશે એટલે કે ભારતના કેટલાક ભાગોમાં દેખાશે. ગ્રહણનો સુતક સમય સવારે 5.30 થી શરૂ થશે. આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અસર કરશે.
આવતીકાલનું ચંદ્રગ્રહણ એ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. જણાવી દઈએ કે આ પહેલા 25 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ સૂર્યગ્રહણ લાગ્યું હતું. જાણકારો અનુસાર સૂર્યગ્રહણની અસર આગામી 3 મહિના સુધી રહેશે અને આ સાથે જ ચંદ્રગ્રહણની અસર પણ આવનાર 3 મહિના સુધી રહેશે. જણાવી દઈએ કે સૂર્યગ્રહણ વાયુ તત્વ તુલા રાશિના ચિહ્નમાં હતું અને ચંદ્રગ્રહણ મેષ રાશિમાં અગ્નિ તત્વની નિશાનીમાં અને બંને વચ્ચે ફક્ત 15 દિવસનો તફાવત હતો એટલે આવી પરિસ્થિતમાં બંને ગ્રહણની સંયુક્ત રીતે આવનાર 3 મહિના સુધી અસર જોવા મળશે.
દરેક રાશિ પર તેની અસર પડવા જઈ રહી છે. એ ફક્ત વ્યક્તિના નામ નહીં પણ દેશ અને કોઈ વસ્તુના નામની રાશિ પર પણ આ બંને ગ્રહણની અસર પડશે.જણાવી દઈએ કે જે દેશોની રાશિ મેષ અથવા તુલા છે તેને ખાસ કરીને આગામી 3 મહિના માટે સતર્ક રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે - અમેરિકા, ચેચન્યા, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા વગેરે આ દેશોએ ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ આ રાશિના લોકોએ કે દેશો એ પણ પરસ્પર વિવાદ ટાળવો જોઈએ. નહીં તો સામાન્ય લોકોમાં બળવો કે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.આ સિવાય બંને ગ્રહણને કારણે ચક્રવાત, ભૂકંપ, ટોર્નેડો વગેરે જેવી મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના છે.
જણાવી દઈએ કે આ રાષ્ટ્રોમાં આર્થિક નુકસાન, વ્યાપારી નુકસાન, રાજકીય નુકસાન, યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સાથે જ વિશ્વના અન્ય મોટી વસ્તી ધરાવતા દેશોમાં પણ વધુ લોકોએ એકઠા ન થવું અને સાથે જ કોઈ મોટો પ્રસંગનું આયોજન કરશે ત્યાં મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. આ બધા સિવાય વિમાન, ટ્રેન, બુલેટ ટ્રેન જેવા ઝડપી ચાલતા વાહનો પર વધુ નકારાત્મક અસર પડશે. એટલા માટે આવનાર ત્રણ મહિના માટે સતર્ક રહીને વિમાન અથવા ટ્રેન ચલાવવાની જરૂર છે, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે.