વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન ‘ધ ઈકોનોમિસ્ટ’(The Economist)નાં નવા કવર પેજ પર વિવાદ શરુ થયો છે. મેગેઝિનને નાગરિકતા કાયદા(સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી)ના મુદ્દાને લઈને ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કવર પેજ પર કાંટાળા તારોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)નું ચૂંટણી નિશાન ‘કમળનું ફુલ’નજરે પડે છે. તેની ઉપર લખ્યું છે અસહિષ્ણુ ભારત. મોદીએ કેવી રીતે દુનિયાનાં સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યાં છે.
ધ ઈકોનોમિસ્ટ’એ મોદી સરકાર પર નિશાન સાધ્યું
વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યો છે
લખ્યું ડરેલા છે દેશનાં 20 કરોડ મુસલમાનો
નરેન્દ્ર મોદી પર સૌથી મોટા લોકતંત્રમાં વિભાજિત કરવાનો આરોપ
‘ધ ઈકોનોમિસ્ટ’એ ગુરુવારે કવર પેજ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ‘કેવી રીતે ભારતનાં વડાપ્રધાન અને તેની પાર્ટી દુનિયામાં સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે.’ આર્ટિકલનાં ટાઈટલમાં પીએમ નરેન્દ્ર મોદી પર સૌથી મોટા લોકતંત્રમાં વિભાજિત કરવાનો આરોપ મુક્યો છે. તેમાં લખ્યું છે કે ભારતનાં 20 કરોડ મુસલમાન ડરેલા છે કેમ કે પ્રધાનમંત્રી હિંદુ રાષ્ટ્રનાં નિર્માણમાં જોડાયેલા છે. 80નાં દાયકામાં રામ મંદિર માટે આંદોલનની સાથે ભાજપની શરુઆત પર ચર્ચા કરતા લેખકે તર્ક આપ્યો છે કે સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી અને ભાજપને ધર્મ અને રાષ્ટ્રીય ઓળખનાં આધારે કથિત વિભાજનનો ફાયદો મળ્યો છે.
NRCનાં મુદ્દા પર લખ્યું છે કે ગેરકાયદે રહેતા શરણાર્થીઓની ઓળખ આપવાની સાથે અસલી ભારતીયો માટે રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયાથી 130 કરોડ ભારતીયો પ્રભાવિત થશે. આ કેટલાય વર્ષો સુધી ચાલશે. એ બાદ તેમાં અનેક પડકારો અને પછી તેને ફરી સ્વસ્થ કરવાની લાંબી પ્રક્રિયા ચાલતી રહેશે. મેગેઝિને લખ્યું છે કે આવા મુદ્દાઓને આગળ ધરીને લોકોને અન્ય મુદ્દા જેવા કે અર્થવ્યવસ્થા વગેરેથી જનતાને ભટકાવવામાં આવી રહ્યાં છે. ભાજપની જીત પછીથી ભારત અર્થવ્યવસ્થાનાં પડકારો સામે લડી રહ્યું છે.
ભાજપનાં નેતાઓ ક્રિટીસિઝમ સહન ન કરી શક્યા
પોતાના પક્ષ વિશે લખાયેલા આર્ટિકલને સહજતાથી સ્વીકારવાના બદલે ભાજપનાં કેટલાક નેતાઓએ ટ્વીટ કરી મેગેઝિનનાં કવર પેજની નિંદા કરી છે. ભાજપનાં નેતા વિજય ચૌથાઈવાલાએ મેગેઝિનને અહંકારી અને કનોલિયન માનસિક્તાવાળુ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘ધ ઈકોનોમિસ્ટ’ગ્રુપની ઈકોનોમિક ઈન્ટેલિજેન્સી યૂનિટ (EIU)એજ આ અઠવાડિયે ‘ગ્લોબલ ડેમોક્રેસી ઈન્ડેક્સ’ની યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં ભારત 10 ક્રમથી નીચે ગગડી 51માં સ્થાને આવી ગયું હતું . યાદી મુજબ 2018માં ભારતનાં અંક 7.23માં હતું. જે 2019માં ઘટીને 6.90 થઈ ગયું હતું.