આ વર્ષે ચારધામ યાત્રામાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. જોકે હવે આગામી 6 તારીખથી ધીરે ધીરે ચારધામ યાત્રાના કપાટ બંધ કરવામાં આવશે.
ચારધામ યાત્રા કરનારા લોકો માટે મોટા સમાચાર
6 નવેમ્બરથી યાત્રા ધીરે ધીરે બંધ થશે
બદ્રીનાથના કપાટ 20 નવેમ્બરે બંધ થશે
આ વર્ષે ચારધામ યાત્રા મોડી શરૂવ થઈ હતી તેમ છતા શ્રદ્ધાળુંઓનો બારે ઘસારે જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્યારે યાત્રા બંધ કરવાની તારીખ સામે આવી છે. ત્યારબાદથી યાત્રીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા પહોચ્યા
આપને જણાવી દઈએ કે કેદારનાથ ધામના કપટ હવે 6 નવેમ્બરથી બંધ કરવામાં આવશે. સાથેજ ગંગોધી ધામના કપાટ 5 નવેમ્બરથી તેમજ યમુનોત્રી ધામના કપટ પણ 6 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે. પરંતુ આ માહિતી સામે આવ્યા બાદ લોકો મોટા પ્રમાણમાં ચારધામ યાત્રાના દર્શન કરવા માટે પહોચ્યા છે. જેથી હાલ અહિયા વધારે ઘસારો જોવા મળી રહ્યો છે.
2 લાખ શ્રદ્ધાળુંઓ કેદારનાથ યાત્રા કરવા પહોચ્યા
ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ 20 નવેમ્બરના રોજ બંધ કરવામાં આવશે. જાણીને તમને નવાઈ લાગશે કે ચારધામ યાત્રાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ચાર લાખની સંખ્યામાં આ વર્ષે ગયા હતા. જેમાથી 2 લાખ જેવા શ્રદ્ધાળુઓતો કેદારનાથની યાત્રા કરવા માટે ગયા હતા.
મહિનાની શરૂઆતમાં કપાટ બંધ કરવાની તૈયારીઓ શરૂ
ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિમનાની શરૂઆતમાંજ તીર્થ પુરોહિતો દ્વારા કપાટ બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા ગંગોત્રી ધામના કપાટ 5 નવેમ્બર અને યમુનોત્રી ધામના કપાટ 6 નવેમ્બરના રોજ બંધ થશે. જેમા 5મીએ અન્નકુટના અવસરે 11.45 મિિટના રોજ પૂજા અર્ચના કર્યા બાદ થશે તેજ રીતે 6 તારીખે 12.30 વાગ્યે પૂજા અર્ચના પછી યમુનોત્રી ધામના કપાટ બંધ થશે.