જૂનાગઢ ઉપરકોટમાં રાણકદેવી મહેલનો ડોમ તૂટી પડતા 1 શ્રમિકનું મોત અન્ય 3 થયા ઇજાગ્રસ્ત
જૂનાગઢ ઉપરકોટમાં મહેલનો ડોમ તૂટ્યો
ડોમ તૂટી પડતા એક શ્રમિકનું મોત
જ્યારે અન્ય 3 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત
ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે. તેમાં પણ જૂનાગઢમાં તો પુરાતત્વીય સ્મારકો, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ સહિત હેરિટેજ સ્થળો આવેલા છે. તેમાના એક એક એવા રાણકદેવી મહેલ. આ મહેલ જર્જરિત અવસ્થામાં હોવાથી સમારકામ ચાલી રહ્યું હતું, મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જ ઉપરકોટના મહેલનો ડોમ તૂટી પડ્યો. જેમાં એક શ્રમિકનું મોત થયુ હોવાનુ સામે આવ્યું છે.
ડોમ તૂટી પડતા એક શ્રમિકનું મોત
જૂનાગઢના રાણકદેવી મહેલની રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. તે સમયે એકાએક ડોમ તૂટી જતા એક શ્રમિકનું મોત નીપજ્યુ જ્યારે અન્ય 3 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ ખસેડાયા
ઇજાગ્રસ્ત શ્રમિકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.મહત્વનું છે કે હજાર વર્ષોનો ઇતિહાસ ધરાવતો આ મહેલ જર્જરિત હોવાથી તેનું સમારકામ ચાલી રહ્યુ હતું. રાણકદેવીના ઇતિહાસ અને દંતકથા મુજબ ઉપરકોટમાં રાણકદેવીનો મહેલ આવેલો છે.