કોરોના વાયરસ પર ડૉક્ટર અને શોધકર્તાઓની શોધ સતત ચાલી રહી છે. ડોક્ટર્સે કોરોના મોતના કારણને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાથી શરીરમાં બ્લડ ક્લોટિંગ એટલે કે લોહીનો થક્કો બને છે. જેના કારણે દર્દીનું અચાનક મોંત થાય છે. આ દાવો કોવિક થિંક ટેંકના સભ્ય અને લખનૌના કેજીએમયૂ હોસ્પિટલના પલમોનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનના વિભાગીય અધ્યક્ષ ડૉ. વેદ પ્રકાશે કર્યો છે.
બ્લડ ક્લોટિંગના કારણે ઓક્સીજનના તમામ રસ્તા બંધ થઈ જાય છે
લોહીના થક્કાને પાતળુ કરવા માટે દવા આપીએ છીએ
ઓટોપ્સી દ્વારા મૃત શરીરના ઓર્ગન કાઢીને તેની તપાસ કરી શકાય
ડો. પ્રકાશનું કહેવું છે કે કોરોનાને લીધે ફેફસાની નસોમાં બ્લડ ક્લોટિંગ થઈ રહ્યું છે. બ્લડ ક્લોટિંગના કારણે ઓક્સીજનના તમામ રસ્તા બંધ થઈ જાય છે. જેના કારણે દર્દીનું મોત થાય છે. આ બ્લડ ક્લોટિંગ કેમ બની રહ્યું છે તેના પર રિસર્ચ ચાલું છે. દુનિયાભરમાં બ્લડ ક્લોટિંગના કેસ દાખલ થયા છે.
આ લોહીના થક્કાને પાતળુ કરવા માટે દવા આપીએ છીએ. એક્સ-રે, સીટી સ્કેન દ્વારા ક્રુડ એનાલિસિસ કર્યા બાદ અંદાજો લગાવી શકાય કે શરીરમાં ક્લોટિંગ છે કે નહીં.
આ ઉપરાંત પલમોનરી હાઈપરટેન્સન અને રાઈટ ફેલિયરથી પણ બ્લડ ફ્લોટિંગની સમજ આવી જાય છે. જોકે હાલમાં આની યોગ્ય તપાસ ઓટોપ્સીના માધ્યમથી કરી શકાય છે. ઓટોપ્સી દ્વારા મૃત શરીરના ઓર્ગન કાઢીને તેની તપાસ કરી શકાય છે કે દર્દીનું મોત ક્લોટિંગથી થયું છે કે અન્ય કોઈ કારણસર.