ગાજીપુર બોર્ડરથી દૂર 115 કિમી દૂર આજે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયતમાં નરેશ ટિકૈત દ્વારા યુપી સરકારની સામે આરપારની લડાઈનું એલાન કરવામાં આવ્યું હતું.
ગાજીપુર બોર્ડર પર ચાલુ છે આંદોલન
કૃષિ મહાપંચાયતે આપ્યો આ આદેશ
નરેશ ટિકૈતે આપ્યું સરકારની સામે આરપારનો આદેશ
કૃષિ કાયદાની સામે દિલ્હી અને ઉત્તર પ્રદેશની ગાજીપુર બોર્ડર પર યુપી સરકાર દ્વારા ખેડૂતોને સ્થળ ખાલી કરવા માટેનું અલ્ટીમેટમ આપી દેવાયું હતું જેને લઈને રાજકીય માહોલમાં ગરમી વ્યાપી ગઈ હતી.
આંદોલનનું પાસું પલટાઈ ગયું હતું
જો કે એન સમયે ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા ઈમોશનલ કાર્ડ રમી જવાના કારણે આંદોલનનું પાસું પલટાઈ ગયું હતું અને ખેડૂતોના જોશને નવી ધાર મળી ગઈ હતી, અને આંદોલન ફરીથી બેઠું થઇ ગયું હતું.
જો કે બીજી બાજુ આજે ગાજીપુરથી 115 કિમી દૂર મુઝફ્ફરનગરમાં બોલાવાયેલી મહાપંચાયતમાં રાકેશ ટિકૈતના ભાઈ અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે આજે યુપી સરકારની સામે આરપારની લડાઈનું એલાન કરી દીધું હતું. આજે રાકેશ ટિકૈતના નિવાસસ્થાનની ભાર લોકોની ભીડ એકથી થઇ ગઈ હતી, તેમના માટે તેમના ગામડેથી મઠ્ઠો અને પાણી મોકલવામાં આવ્યા અને જે ખેડૂતો ગાજીપુરથી પરત આવી ગયા હતા તે પણ પરત જવાની વાતો કરવા લાગ્યા હતા.
આ દરમિયાન મહાપંચાયતની બેઠકમાં રાષ્ટ્રીય લોક દળના જયંત સિંહ પણ સામેલ થયા હતા અને લગભગ ત્રણ દાયકા જૂની ભારતીય કિસાન યુનિયન અને રાષ્ટ્રીય લોક દળની દૂરી આજે સમાપ્ત થઇ ગઈ તેવું લાગતું હતું. આ દરમિયાન મહાપંચાયતમાં બીજો તો કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નહોતો, પરંતુ ગાજીપુર બોર્ડર પર આંદોલનને શરુ રાખવા માટે આદેશ અપાયો હતો.
યોગી સરકારની વધી શકે છે મુશ્કેલી
જો કે આ આંદોલન દરમિયાન શા માટે યુપી સરકારે પોતાના પગ પાછા ખેંચી લીધા તે પણ રસપ્રદ છે, ટૂંક સમયમાં જ પ્રદેશમાં જ પંચાયતની ચૂંટણીઓ છે, જેમાં જાટ સમુદાયની નારાજગી ભાજપને પાલવે તેમ નથી અને 2022 માં આ જ વસ્તુ યોગી સરકારને વિધાનસભા ચૂંટણીમાં પણ નડે તેમ છે.
જાટ સમુદાય વેસ્ટ યુપીમાં ખૂબ જ શક્તિશાળી છે અને પ્રદેશમાં લગભગ 4 ડઝન વિધાનસભા સીટ પર નિર્ણાયક સ્થિતિમાં છે જેમાં બે ડઝનમાં તો જીતાડવાની શક્તિ રાખે છે, માટે જો યોગી સરકારે રાકેશ ટિકૈત પર એક્શન લીધું હોત તો ભાજપને ચૂંટણીમાં તેની અસર ચોક્કસપણે વર્તાઈ શકે તેમ હતી જેના લીધે યોગી સરકારે તેના પગલાં પાછા ખેંચીં લીધા હતા .