મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને જરૂર પડવા પર બે કલાકની અંદર તેમના ઘરે ઓક્સિજન કન્સન્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું બેન્ક બનાવવામાં આવ્યું છે.
દિલ્હીમાં ઓક્સિજનને લઈને મચેલા ધમાસાનની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે આજથી અમે દિલ્હીમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર બેન્કની જરૂરી સેવા શરૂ કરી રહ્યા છીએ. કોરોના દર્દીઓને સમય પર ઓક્સિજન મળવો ખૂબ જરૂરી છે. તેના દ્વારા આપણે વધુ જીવ બચાવી શકીએ છીએ.
બે કલાકની અંદર ઘરે પહોંચી જશે ઓક્સિજન
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહેલા કોઈ પણ કોરોના દર્દીને જરૂર પડવા પર બે કલાકની અંદર તેમના ઘર સુધી ઓક્સિજન કન્સન્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કન્સન્ટ્રેટરની બેન્ક બનાવવામાં આવી છે.
જેમને ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવામાં આવશે તેમના સંપર્કમાં ડોક્ટર સતત રહેશે. સાજા થયા બાદ ઓક્સિજન કન્સન્ટ્રેટર પરત કરવાનું રહેશે. ત્યાર બાદ તેને સેનેટાઈઝ કરી કોઈ બીજા દર્દીને આપવામાં આવશે. 1031 પર કોલ કરીને પણ તમે હોમ આઈસોલેશન ઓક્સિજન કન્સન્ટ્રેટરની ડિમાન્ડ કરી શકો છો.
આજે કોરોનાના નવા 6500 કેસ
દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે કોરોનાના કેસ 6500 આવ્યા છે જે ગઈકાલે 8500 હતા. સંક્રમણ દર 12થી ઘટીને 11 થઈ ગયો છે. ત્યાં જ કાલે વધુ 500 આઈસીયુ બેડ બનીને તૈયાર થઈ ગયા છે. હમણાં થોડા દિવસો પહેલા જ 500 આઈસીયૂ બેડ તૈયાર થયા છે.
15 દિવસમાં આઈસીયુના 1000 બેડ તૈયાર
તેમણે જણાવ્યું કે 15 દિવસમાં આઈસીયુના 1000 બેડ તૈયાર થઈ ગયા છે. તેનો શ્રેય ડોક્ટર અને એન્જીન્યરને જાય છે. તે બધાને દિલ્હીના લોકો તરફથી સલામ, તેમનો કોટી-કોટી ધન્યવાદ. મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે આજે આપણે વધુ એક જરૂરી સેવા શરૂ કરી રહ્યા છીએ. અમે ઓક્સિજન કન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરી રહ્યા છીએ.