તમે 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકો છો. રિઝર્વ બેંકે ફાટેલી-કાપેલી અને ગંદી નોટ બદલાવવાના RBI રુલ્સ 2009માં ફેરફાર કરી દીધો છે. હવે તમે 1 2 5 10 20 50 100 200 500 અને 2000 રૂપિયાની નોટ બદલાવી શકો છો. રિઝર્વ બેંક એને લઇને સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જારી કરી ચુક્યુ છે.
2000ની નોટ જારી થયે આશરે 2 વર્ષથી વધારે થઇ ગયું છે. 2000 અને 200ની નોટનો રંગ ઊતરવા કાપવા-ફાટ્યા બાદ ઘણા શહેરોમાં ફરિયાદ આવી હતી કે બેંક એને બદલતી નથી. બેંકોનું કહેવું છે કે એમની પાસે આરબીઆઇની પરવાનગી નથી. એનાથી નાની મૂડીથી લઇને મોટો વેપાર કરનાર પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા.
નોટ બદલવાનો કાયદોઆરબીઆઇ એક્ટની ધારા 28ના અંતર્ગત આવે છે. એમાં નોટબંધી પહેલા જેવી કાપેલી-ફાટેલી અથવા ગંદી નોટ બદલવાની પરવાનગી મળી હતી નોટબંધી બાદ રિઝર્વ બેંકે અત્યાર સુધી એમાં કોઇ ફણ સંશોધન કર્યું નહતું. હવે નવા ડ્રાફ્ટમાં સંશોધન કરીને 200 અને 2000 રૂપિયાની નોટ બદલવાની જોગવાઇને જોડી દેવામાં આવી છે.
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016એ નોટબંધી લાગૂ થયા બાદ જારી કરવામાં આવી હતી. જ્યારે 200 રૂપિયાની નોટ સપ્ટેમ્બર 2017 બાદ જારી થઇ છે. દેશભરમાં મોટી સંખ્યામાં લોકો આ વાતને લઇને ખૂબ પરેશાન છે કે નોટ બદલાતી નથી. બેંક પણ કાયદો ના હોવાને કારણે લોકોની નોટ બદલી શકતી નથી. કાયદામાં ફેરફાર થયા બાદ હવે લોકોને રાહત મળી શકશે.