એક રિપોર્ટ મુજબ 28 નવેમ્બરના રોજ ન્યાયાધીશોની નિમણૂકો પર સુપ્રીમ કોર્ટની સુનાવણીના કલાકો પહેલા ભલામણો કરવામાં આવી, આ તરફ કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય
મોદી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે જજોની નિયુક્તિને લઈ તકરાર
કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવેલા 21 નામોમાંથી 19 નામો કેન્દ્રએ પરત કર્યા
10 નામ એવા કે કોલેજીયમે રિપીટ કર્યા, 9 નામો એવા કે જેની પહેલી વાર ભલામણ કરવામાં આવી
મોદી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે હવે કોલેજીયમના માધ્યમથી જજોની નિયુક્તિને લઈ તકરાર સતત વધી રહી છે. હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવેલા 21 નામોમાંથી 19 નામો કેન્દ્રએ પરત કર્યા છે. એક અહેવાલ અનુસાર 28 નવેમ્બરના રોજ ન્યાયાધીશોની નિમણૂકો પર સુપ્રીમ કોર્ટની સુનાવણીના કલાકો પહેલા આ ભલામણો કરવામાં આવી હતી. આમાંથી 10 નામ એવા છે કે, કે કોલેજીયમે રિપીટ કર્યા છે. આ સાથે પહેલી વાર 9 નામોની ભલામણ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, કાયદા પ્રધાન કિરણ રિજિજુએ મંગળવારે એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોલેજીયમ દ્વારા કરવામાં આવેલ બે ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલવોકેટ સંતોષ ગોવિંદ ચાપલગાંવકર અને મિલિંદ મનોહર સાથયેને બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોલેજીયમે 12 સપ્ટેમ્બરના રોજ તેમના નામની ભલામણ કરી હતી.
કેન્દ્ર સરકારે કયા નામો પરત કર્યા ?
કેન્દ્ર સરકારે જે નામો પરત કર્યા છે તેમાં અલ્હાબાદ હાઇકોર્ટના 5, કેરળ હાઇકોર્ટના 2 કેરળ હાઇકોર્ટના 5 અને કર્ણાટક હાઇકોર્ટના 1 નામને પરત મોકલ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજ તરીકે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિપાકર દત્તાની ભલામણ કરતો કોલેજીયમનો 26 નવેમ્બરનો નિર્ણય સરકાર પાસે પેન્ડિંગ છે.
અલ્હાબાદ હાઇકોર્ટ:
રિષદ મુતઝા : 24/08/2021ના રોજ ભલામણ કરવામાં આવી અને 14-07-2022ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
શિશિર જૈન: 24/08/2021 ના રોજ ભલામણ કરવામાં આવી અને 14-07-2022ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
ધ્રુવ માથુર: 24/08/2021 ના રોજ ભલામણ કરવામાં આવી અને 14-07-2022ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
વિમલેન્દુ ત્રિપાઠી: 24/08/2021 ના રોજ ભલામણ કરવામાં આવી અને 14-07-2022ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
મનુ ખરે: 06/10/20211ના રોજ ભલામણ કરવામાં આવી અને 14-07-2022ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
કલકત્તા હાઇકોર્ટ:
નાગેન્દ્ર રામચંદ્ર નાયક: 03/10/2019ના રોજ ભલામણ કરવામાં આવી અને 02/03/2021 અને 01/09/2021ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
કેરળ હાઇકોર્ટ:
સંજીત કલોરે અરકલ: 01/09/2021ના રોજ ભલામણ કરવામાં આવી અને 11/11/2021ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
અરવિંદકુમાર બાબુ થાવરકટિલ:01/09/2021 ના રોજ ભલામણ કરવામાં આવી અને 11/11/2021ના રોજ પુનરાવર્તિત કરવામાં આવ્યા
કયા 9 નામો કે જેને પ્રથમ ભલામણ કરવામાં આવ્યા પછી પાછા ફર્યા ?
ગણેશ રામ મીણા: રાજસ્થાન હાઇકોર્ટ માટે 01/09/2021ના રોજ ભલામણ કરવામાં આવી
મનીષ શર્મા: રાજસ્થાન હાઇકોર્ટ માટે 06/10/2021ના રોજ ભલામણ કરવામાં આવી
સૌરભ કિરપાલ: 11/11/2021ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં ભલામણ કરી હતી
મિર્ઝા સેફુલ્લાહ બેગ: તેલંગણા હાઇકોર્ટ માટે 01/02/2022ના રોજ ભલામણ કરવામાં આવી
સોમાશેકર સુંદરસેન: બોમ્બે હાઇકોર્ટ માટે 16/02/2022ના રોજ ભલામણ કરવામાં આવી
આર જોન સાથ્યાન: મદ્રાસ હાઇકોર્ટને 16/02/2022ના રોજ ભલામણ કરવામાં આવી
અબ્દુલ ગની અબ્દુલ હમીદ: 16/02/2022ના રોજ મદ્રાસ હાઇકોર્ટમાં ભલામણ કરવામાં આવી
સુમન પટનાયક: ઓરીસ્સા હાઇકોર્ટ માંતે 25/07/2022ના રોજ ભલામણ કરવામાં આવી
હરપ્રીતસિંહ બ્રાર: 25/07/2022ના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ભલામણ કરવામાં આવી
મહત્વનું છે કે, આ પહેલા 11 નવેમ્બરના રોજ જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બે જજોની બેંચે ન્યાય સચિવ અને કાયદા અને ન્યાય મંત્રાલયના અધિક સચિવને નોટિસ જાહેર કરી હતી. તેમણે 28 નવેમ્બર પહેલા જવાબ માંગ્યો હતો કે, સરકાર કોલેજીયમની ભલામણો પર પગ કેમ ખેંચી રહી છે.