ભારતમાં કોરોનાથી 49 લાખ મોત થયા હોવાનું અનુમાન આપ્યું
ભારતમાં સરકારે તો કોરોનાનો સત્તાવાર મૃત્યઆંક 4 લાખ દેખાડ્યો છે
ભારતના ભાગલા બાદ કોરોના ડેથ સૌથી મોટી માનવીય ટ્રેજેડી
ભારતમાં સરકારે તો કોરોનાનો સત્તાવાર મૃત્યઆંક 4 લાખ દેખાડ્યો છે પરંતુ દુનિયાની કેટલીક એજન્સીઓને આ મૃત્યુઆંક સાચો લાગતો નથી.
અમેરિકાની સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરે કરેલા સ્ટડીમાં ભારતમાં કોવિડ મોતના ત્રણ અનુમાન કર્યાં છે જે ડરામણી તસવીર દેખાડે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે ભારતમાં કોરોનાની બીજી લહેર ભાગલા બાદ સૌથી મોટી માનવીય ટ્રેજેડી છે. આ સ્ટડી સીરો સર્વે, હાઉસહોલ્ડ ડેટા અને સત્તાવાર ડેટા પર આધારિત છે. સ્ટડીમાં ભારતમાં કરોોનાથી થનાર મોતનો ઓછો આંકડો દર્શાવાયો હોવાનો સંકેત આપ્યો છે.
સ્ટડીમાં જણાવાયું છે કે ભારતમાં કોરોનાને કારણે 34 લાખથી 49 લાખ મોતનું અનુમાન લગાડાયું છે. એવું પણ કહેવાયું કે પહેલી લહેર વધારે ઘાતક હતી તેમાં ડેથ રેટ ઓછો હતો, પ્રથમ લહેરમાં 20 લાખ મોતની આશંકા હતી. પરંતુ સાચા મોતની સંખ્યા હજારો નહીં પરંતુ લાખોમાં થઈ હતી જે ભારતની આઝાદી અને ભાગલા બાદ સૌથી મોટી માનવીય ટ્રેજેડી છે.
સ્ટડીમાં લગાડાયા 3 અનુમાન
પહેલું અનુમાન- કન્યુઝમર પિરામીડ હાઉસહોલ્ડ સર્વે પર આધારિત આ અનુમાનમાં 49 લાખના મોતની આશંકા જણાવાઈ છે.
બીજું અનુમાન- 34 લાખ મોતનું અનુમાન વ્યક્ત કરાયું છે.
ત્રીજું અનુમાન- સીરો સર્વેને આધારે 40 લાખ મોતનું અનુમાન અપાયું છે. પહેલી લહેરમાં 15 લાખ અને બીજી લહેરમાં 24 લાખ મોતનું અનુમાન વ્યક્ત કરાયું.
ભવિષ્યમાં મહામારી અટકાવવા દરેક દેશે
આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે દરેક દેશે મોતના વાસ્તવિક આંકડા દેખાડવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં થનારી મોતને અટકાવી શકાય.