છોટાઉદેપુરમાં ખાળકુવામાં પડવાથી બે બાળકોના મોતની ઘટના સામે આવી છે.. પાવીજેતપુરના કદવાલ ગામમાં દોઢ અને અઢી વર્ષના બાળકોનુ મોત નિપજ્યુ છે. મળતી માહિતી મુજબ રમતા-રમતા બાળકો ખાળકુંવામાં ખાબક્યા હતા. વરસાદી પાણી પડતા કુંવો ભરાયો હતો. આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે. બાળકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.