ડેડલાઈન અનુસાર આ વર્ષે પણ પેન્શનભોગીઓને 28 ફેબ્રુઆરી સુધી પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જાણો વિગતવાર
ઓનલાઈન પણ આપી શકો છો સર્ટીફિકેટ
આ રીતે જમા કરી શકો છો લાઈફ સર્ટીફિકેટ
દર વર્ષે આપવું પડે છે પ્રમાણપત્ર
પેન્શનભોગીઓ માટે કામની ખબર છે. નક્કી ડેડલાઈન અનુસાર આ વર્ષે પણ પેન્શનભોગીઓને 28 ફેબ્રુઆરી સુધી પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જો પેન્શનભોગી આવું નથી કરતો તો તેમનું પેન્શન અટકી જશે. લાઈફ સર્ટીફિકેટ જમા કરાવ્યા બાદ પેન્શનની પ્રક્રિયા ચાલુ રાખી શકાય છે.
ધ્યાન આપવાવાળી બાબત એ છે કે સરકારે પેન્શનર્સ માટે લાઈફ સર્ટીફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરવાની અંતિમ તારીખને વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી છે જ્યારે દર વર્ષે જીવન પ્રમાણ પત્ર જમા કરવાની ડેડ લાઈન 30 નવેમ્બર હોય છે. પરંતુ કોરોના કાલને ધ્યાનમાં રાખીને આ ડેડલાઈનને વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરવામાં આવી છે. આવો જાણીએ તમે કેવી રીતે જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો છો.
પોર્ટલ પર કરાવી શકો છો જમા
તમે જીવન પ્રમાણ પત્ર પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર જમા કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલથી જીવન પ્રમાણપત્ર એપ ડાઉનલોડ કરવું પડશે. આ ઉપરાંત UDAI દ્વારા માન્ય ફિંગરપ્રિન્ટ ડીવાઈઝ હોવું જોઈએ. ત્યાર બાદ સ્માર્ટફોનના માધ્યમથી ઈ મેલ આઈડી તથા એપમાં બતાવેલ પ્રકારો દ્વારા જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જમા કરી શકો છો.
ઓનલાઈન પણ આપી શકો છો સર્ટીફિકેટ
રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે કેંદ્ર સરકાર દ્વારા પેન્શન હાસિલ કરી લોકો 31 ડિસેમ્બર સુધી ખુદ બેંક શાખાઓમાં જઈને કે ડિજીટલ રૂપથી ઓનલાઈન પ્રણાલીના માધ્યમથી આ પ્રમાણપત્ર જમા કરાવી શકો છો. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરવાવાળી બેંકોને નિર્દેશ છે કે ભીડભાડથી બચવા માટે તેઓ પોતાની શાખાઓમાં પર્યાપ્ત પગલાઓ ભારે તથા સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન સુનિશ્ચિત કરે.
આ રીતે જમા કરી શકો છો લાઈફ સર્ટીફિકેટ
પેન્શનર્સ ઇન્ડિયન બેન્કસ એસોસિએશનના અંતર્ગત 12 સરકારી બેન્કોની ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. આ બેન્કોમાં ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એંડ સિંધ બેંક, યૂકો બેંક તથા યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા શામેલ છે.
દર વર્ષે આપવું પડે છે પ્રમાણપત્ર
જણાવી દઈએ કે પેન્શન મેળવવાવાળા લોકોએ દર વર્ષે 30 નવેમ્બર સુધી પોતાની બેંક શાખામાં જઈને પોતાના જીવિત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. આ પ્રમાણપત્ર એટલે જમા કરાવવામાં આવે છે કે તેમના મૃત્યુ બાદ પરિવારના બીજા લોકો અનુચિત રીતે પેન્શન મેળવી ન લે.