મોદી સરકાર માટે 5 ઓગસ્ટની તારીખ ખાસ માનવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી આ દિવસે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવે છે. આ વર્ષે શું થશે તેને લઈને સવાલો જોવા મળી રહ્યા છે.
મોદી સરકાર માટે 5 ઓગસ્ટની તારીખ ખાસ
આ દિવસે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવે છે
શું આજે ફરી લેવાશે કોઈ ઐતિહાસિક નિર્ણય ?
પીએમ મોદી છેલ્લા 7 વર્ષથી કેન્દ્રની સત્તા પર કાયમ છે. તેમના કાર્યકાળમાં એક તારીખ ખાસ માનવામાં આવે છે, આ તારીખ 5 ઓગસ્ટની છે. વર્ષ 2019માં આ દિવસે પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરથી કલમ 370ને ખતમ કરી હતી. આ સાથે અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ ગયા વર્ષે કર્યો. આ વર્ષે 5 ઓગસ્ટે શું થવાનું છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
2 વર્ષથી વિરોધીઓને મૂક્યા મુશ્કેલીમાં
મોદી સરકારે છેલ્લા 2 વર્ષમાં ઐતિહાસિક નિર્ણયો લઈને વિરોધીઓને ચોંકાવ્યા છે. આ વર્ષે પણ આ દિવસે કંઈ ઐતિહાસિક નિર્ણય લેવાશે કે નહીં તેની ચર્ચા થઈ રહી છે. શું મોદી સરકાર ફરી એકવાર ઐતિહાસિક નિર્ણય લઈને વિરોધીઓને ચોંકાવશે?
જાણો શા માટે ખાસ છે મોદી સરકાર માટે 5 ઓગસ્ટનો દિવસ
2010માં 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યા અને કહ્યું કે અટલજી અને કરોડો દેશભક્તોનું આજે સપનું પૂરું થવા જઈ રહ્યું છે. જે તેઓએ જમ્મૂ કાશ્મીરને લઈને જોયું હતું. તેઓએ આ દિવસે જમ્મૂ કાશ્મીરથી કલમ 370ને હટાવવાનો નિર્ણય કર્યો હતો. 2020માં આ દિવસે પીએમ મોદીએ અયોધ્યા નિર્માણની આધારશિલા રાખી હતી. આજે ફરી એકવાર 5 ઓગસ્ટનો દિવસ છે. મોદી સરકારનો નવો ટારગેટ શું છે તેને લઈને ચર્ચાનું બજાર ગરમ છે.
યોગી આદિત્યનાથે 5 ઓગસ્ટને ગણાવી ખાસ
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી કહી રહ્યા છે કે આ નિવેદનમાં તેઓે 5 ઓગસ્ટે લેવાતા ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે અને તેનું મહત્વ બતાવ્યું છે. તેઓએ કહ્યું કે 5ઓગસ્ટનો દિવસ સર્જિકલ સ્ટ્રાઈકનો માનવામાં આવે છે. રામમંદિરના નિર્માણની શરૂઆત અને કલમ 370 હટાવવા માટે જાણીતો બની ચૂક્યો છે.
શું આજે ફરી થશે કંઈક ઐતિહાસિક ?
આ સમયે દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે તે મોદી સરકાર આ વર્ષે શું કરશે. આજે અયોધ્યામાં રામલલાની પાસે મંદિર પરિસરમાં અનેક કાર્યક્રમ થશે. આ સાથે પીએમ મોદી વર્ચ્યુઅલી સામેલ થશે. આશા રાખવામાં આવી રહી છે કે 5 ઓગસ્ટની આ ઐતિહાસિક તારીખ પર કંઈ મોટી જાહેરાત પીએમ મોદી કરી શકે છે.