મહેમદાવાદ પોલીસ કસ્ટડીમાં વધું એક આરોપીનું મૃત્યું થયું છે. આ મોંતથી સમગ્ર વિસ્તાર અને પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મરનાર ઓરોપી કોણ હતો અને તેનું મોત કેવી રીતે થઈ? ...
એક આરોપીનું ગત રાતે કસ્ટડિમાં મોત
પરિવારજનોએ પોલીસે આરોપીની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો
મરનાર હત્યાનો આરોપી હતો
કોનું મોત નિપજ્યું કસ્ટડિમાં ?
મહેમદાવાદ પોલીસ શંકાનાં ઘેરામાં આવી છે કેમ કે મહેમદાવાદ પોલીસ કસ્ટડીમાં વધું એક આરોપીનું મૃત્યું થયું છે. કસ્ટડીમાં માનસિંહ રાઠોડનું મોત નિપજ્યું છે. માનસિંહ હત્યાનો આરોપી હતો. મૃતક માનસિંહનાં પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસે માર માર્યો હોવાથી દિકરાનું મોંત નિપજ્યું છે. ત્યારે ગત રાત્રે પોલીસ કસ્ટડીમાં માનસિંહ રાઠોડનું મોત નિપજ્યું હતું.
કોની હત્યા થઈ હતી ?
26 ડિસેમ્બરે બહાદુરસિંહ નામનાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. જે હત્યાનાં કેસમાં માનસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. બહાદુરસિંહની હત્યા કનીજ ગામે આવેલા અઘોરી આશ્રમમાં થઈ હતી.