સ્થાયી સંસદીય સમિતિએ દેશમાં વેક્સીનેશનની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે આ રીતે તો વેક્સીનેશનમાં અનેક વર્ષ લાગશે.
સંસદીય સમિતિએ વ્યક્ત કરી ચિંતા
વેક્સીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે ધીમીઃ સમિતિ
આ રીતે વેક્સીનેશની પ્રક્રિયામાં લાગશે અનેક વર્ષનો સમય
ગૃહમાં સંસદની સ્થાયી સમિતિએ દેશમાં વેક્સીનેશનની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આખા દેશમાં આ રીતે વેક્સીનેશન કરવામાં અનેક વર્ષનો સમય લાગશે. રાજ્યસભામાં સોમવારે રજૂ કરાયેલા ગૃહ મંત્રાલયની માંગ સંબંધી રિપોર્ટ પર સમિતિએ આ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે મોટી સંખ્યામાં લોકો વેક્સીનનો બીજો ડોઝ લઈ શક્યા નથી.
જાણો રિપોર્ટ અનુસાર અત્યાર સુધી કેટલું થયું છે વેક્સીનેશન
રિપોર્ટમાં કહેવાયું છે કે સમિતિ કોરોનાના વર્તમાન વેક્સીનેશનની પ્રક્રિયા પર વિચાર કરી રહી છે અને જોવા મળ્યું છે કે અત્યાર સુધી ભારતીય આબાદીના 1 ટકાથી પણ ઓછા લોકોનું વેક્સીનેશન થયું છે અને આ રીતે જ જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો વેક્સીનેશનમાં અનેક વર્ષ લાગી જશે.
આ કારણે નથી મળી રહ્યો વેક્સીનનો બીજો ડોઝ
કોંગ્રેસ સાંસદ આનંદ શર્માની અધ્યક્ષતાની સમિતિએ કહ્યું કે તેમને લાગે છે કે આ ગંભીર મુદ્દો છે કે મોટી સંખ્યામાં લોકોને વેક્સીનનો બીજો ડોઝ મળી રહ્યો નથી જ્યારે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા પ્રકાર સામે આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે સમિતિ પ્રશંસા કરે છે કે અગ્રિમ મોર્ચાના દરેક સ્વાસ્થ્ય કર્મી અને સીએપીએફ સહિતના કોરોના યોદ્ધાઓ અને રાજ્ય અને કેન્દ્ર સમિતિ પ્રદેશોના પોલીસકર્મીઓને વેક્સીનના ડોઝ આપવામાં આવે. વધારે ને વધારે લોકોને જેટલું શક્ય હોય તે રીતે કવર કરવાના પ્રયાસ કરવામાં આવે.