બદ્રીનાથ ધામના દરવાજા ખૂલતાંની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા અને આરતી કરવામાં આવી, ITBPના બેન્ડ ઉપરાંત ગઢવાલ સ્કાઉટ્સે પણ પરફોર્મ કર્યું
બદ્રીનાથ ધામના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા
દરવાજા ખોલતા પહેલા જ બદ્રીનાથમાં ભારે હિમવર્ષા
ભારે હિમવર્ષા પણ ભક્તો હર્ષોલ્લાસથી ઝૂમતા જોવા મળ્યા
કેદારનાથ બાદ હવે ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે ખૂલી ગયા છે. દરવાજા ખોલતા પહેલા જ બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તેમ છતાં ભક્તો ત્યાં હર્ષોલ્લાસથી ઝૂમતા જોવા મળ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ITBPના બેન્ડ ઉપરાંત ગઢવાલ સ્કાઉટ્સે પણ પરફોર્મ કર્યું હતું. દરવાજા ખોલતા પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મંદિર પહોંચી ગયા હતા. મંદિરને 15 ટનથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
જ્યાં ભગવાન વિષ્ણુ 12 મહિના સુધી નિવાસ કરે છે, તે બ્રહ્માંડનું આઠમું વૈકુંઠ ધામ બદ્રીનાથ તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે, ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના આરામ કરે છે અને 6 મહિના સુધી ભક્તોને દર્શન આપે છે. બીજી તરફ બીજી માન્યતા એવી પણ છે કે, મનુષ્ય વર્ષના 6 મહિના ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બાકીના 6 મહિના અહીં દેવતાઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, જેમાં દેવર્ષિ નારદ પોતે મુખ્ય પૂજારી છે.
#WATCH | The portals of Badrinath Dham opened amid melodious tunes of the Army band and chants of Jai Badri Vishal by the devotees. pic.twitter.com/hoqrP2Tpyq
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ
બદ્રીનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. ટીહરી નરેશ આ દિવસ પસંદ કરે છે જે જૂની પરંપરા રહી છે. પૂર્વ ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ જણાવે છે કે, જ્યારે વૈશાખ શરૂ થાય છે ત્યારથી બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવે છે અને પરંપરા મુજબ નરેન્દ્ર નગરના ટીહરી નરેશની તારીખ નક્કી કરવામાં આવે છે. પરંપરાઓ અનુસાર મનુષ્યો અહીં 6 મહિના ભગવાન વિષ્ણુ અને 6 મહિના દેવતાઓની પૂજા કરે છે.
#WATCH | Uttarakhand: Devotees gather outside Badrinath temple. The portals of Badrinath Dham will open at 7.10 am. The temple has been decorated with 15 quintals of marigold flowers. pic.twitter.com/us3PIcbXRT
બદ્રીનાથ ધામની અંદર પણ નિર્માણ કાર્ય અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંતોનો સમૂહ બદ્રીનાથ પહોંચી ગયો છે અને ભક્તો પણ ધામમાં પહોંચી ગયા છે. રસ્તાઓ પહેલા કરતા પહોળા થઈ ગયા છે. ગોવિંદઘાટથી શીખોના પવિત્ર મંદિર બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ માટે રસ્તો અલગ થાય છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા પીપીપીની તર્જ પર એક રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી રહી છે. આ રેસ્ટોરન્ટ આગામી 2 દિવસમાં તૈયાર થઈ જશે અને બદ્રીનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને સારી ગુણવત્તાયુક્ત ભોજન મળશે.