દિવાળીનાં દિવસે હરિયાણાની રાજધાની ચંડીગઢમાં સીએમ અને ડેપ્યુટી સીએમનો શપત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરે શપત ગ્રહણ કર્યાં હતાં. જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા છે. આ પ્રસંગમાં એક ગુનેગારને મહેમાન તરીકે બોલાવાયાં. ગુનેગાર હાજરી આપવા સીધા તિહાર જેલથી આવ્યો.
જે ચૌટાલા પરિવાર પર બીજેપી આક્ષેપ કરતી રહી તેની સાથે ગઠબંધનની સરકાર બનાવી
ગુનેગાર ચૌટાલાએ ન ફક્ત સમારોહમાં હાજરી આપી પણ તેઓ થોડા સમય માટે સ્ટેજ પર પણ રહ્યાં
શપત સમારોહમાં દુષ્યંત ચૌટાલાનાં પિતા અજય ચૌટાલાએ પણ હાજરી આપી
આજે દિવાળીનાં દિવસે હરિયાણાનાં મંત્રીઓનાં શપત ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીએમ તરીકે મનહોર લાલ ખટ્ટર અને ડેપ્યુટી સીએમ તરીકે જેજેપીનાં દુષ્યંત ચૌટાલાએ શપત ગ્રહન કર્યાં હતાં. આ સમારોહમાં એક ચોંકવનારી ઘટનાં બની છે. જ્યાં જેજેપીનાં નેતાં દુષ્યંત ચૌટાલાનાં પિતા અજય ચૌટાલાએ પણ હાજરી આપી હતી.
ગુનેગાર અજય ચૌટાલા તિહાર જેલમાંથી સીધા આવ્યાં
અજય ચૌટાલાએ ન ફક્ત હાજરી આપી બલ્કે તેઓએ સ્ટેજ પર હાજરી આપી હતી. જોકે તે થોડી વારમાં સ્ટેજ પરથી ઉતરી ગયાં હતાં. અજય ચૌટાલા આજે સવારે તિહાર જેલમાંથી ફર્લો પર બહાર આવ્યાં છે. તેઓને 10 વર્ષની સજા પડી છે. અજય ચૌટાલા શિક્ષણ ભર્તી ગોટાળા કેસમાં જેલમાં હતાં. ભ્રષ્ટાચારી અજય ચૌટાલાને 14 દિવસની ફર્લો મળી છે.
બીજેપીની બે મોઢાની વાત
એક ટીવી સ્ટુડિયોમાં બેઠેલા બીજેપીનાં પ્રવક્તા શાહનવાજ હુસૈને આ વિષય પર સિનિયર પત્રકારે સવાલ પુછ્યો હતો કે બીજેપીએ ચૂંટણી દરમિયાન સતત ચૌટાલા પરિવાર પર આક્ષેપબાજી કરી તેમને અનેક વાર નિશાનો બનાવ્યો છે. જેનાં પર તમે ચૂંટણી જીત્યાં છો. તેમની જ સાથે આજે સ્ટેજ શેર કર્યું છે. જેને લઈને શાહનવાજ હુસૈન થોડા અસહજ થઈ ગયાં હતાં. જોકે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે તેમની પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી રહી છે અને રહેશે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલેરેન્સની વાત કરતી બીજેપી પાર્ટીએ ચૌટાલા પરિવાર સાથે જ હરિયાણામાં ગઠબંધન કર્યું છે.