અમદાવાદના વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના બે શકમંદોની અટકાયત કરી છે
ક્રાઇમબ્રાન્ચે બે શંકાસ્પદોની અટકાયત કરાઇ
ઝારખંડના રહેવાસી બે શખ્સોની અટકાયત
ધનતેરસના દિવસે વૃદ્ધ દંપતીની કરી હતી હત્યા
અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલાં જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની હત્યાની ઘટના બની હતી. ધનતેરસના દિવસે જ ઘાટલોડિયાના પારસમણી ફ્લેટમાં વૃદ્ધ દંપતી હત્યા થતા ચકચાર ખળભળાટ મચ્યો હતો, જો કે સમગ્ર મામલે ક્રાઈમબ્રાન્ચે ઝારખંડના રહેવાસી બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં પરિવાર, મિત્રો અને પાડોશીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ઘાટલોડિયાના પારસમણી ફ્લેટમાં વૃદ્ધ દંપતીનો મામલો
વૃદ્ધા દંપતિના ઘરે મોટા ભાગે ખરીદી ઓનલાઈન થતી એટલે ઓનલાઈન ખરીદીના કારણે અજાણ્યા શખ્સોની અવરજવર વધુ રહેતી હતી. પોલીસ નિવેદનમાં વૃદ્ધ દંપતિને પૌત્રીએ જણાવ્યું હતું કે જે દિવસે ઘટના બની તે દિવસે તે યાઈકલિંગ માટે ગઈ હતી, પૌત્રી બહાર ગઈ ત્યારે હત્યા થતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પોલીસે શહેરભરમાં ચકચાર મચાવનારા દંપતીની હત્યાના કેસમાં ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે.
કયા કારણોસર હત્યા કરી એ અંગે ક્રાઈમ બ્રાંચે પૂછપરછ
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. લૂંટનો ઈરાદો અથવા એ સમયે એવી કોઈ ઘટના બની કે વૃદ્ધની હત્યા કરવામાં આવી શંકાસ્પદ આરોપીઓની તપાસ શરુ કરવામાં આવી છે, આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી જેમાં સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાતા જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે તેણે અન્ય એક શખ્સ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
વૃદ્ધ દંપતી તેમની પૌત્રી સાથે રહેતા હતા
વૃદ્ધ દંપતિના પરિવારજનો દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી વૃદ્ધ દંપતિના ગળાના ભાગે છરીનો એક-એક ઘા મારીને જ મોતને ઘાટ ઉતારી દેવાયાં હતાં. પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને દંપતીના મૃતદેહ પરિવારને સોંપી દેવાતાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. પરિવાર, સોસાયટીના સભ્યો અને સગાં-સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
વૃદ્ધ દંપતીને ત્યાં મોટાભાગની ખરીદી ઓનલાઇન થતી
દિવાળીના બે દિવસ પહેલાં ઘટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ એ અંગેની પૂછપરછ શરૂ કરી છે.