અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે આપેલા ચુકાદામાં કહ્યું કે વૈજ્ઞાનિકો માને છે કે ગાય એક માત્ર પ્રાણી છે જે ઑક્સિજન લે છે અને છોડે છે.
ગાય એક માત્ર પ્રાણી છે જે ઑક્સિજન લે છે અને છોડે છે : HC
સદીઓથી ગાયની પૂજા કરે છે હિન્દુઓ :HC
ગાયનું કલ્યાણ થશે ત્યારે જ આ દેશનું કલ્યાણ થશે : HC
જસ્ટિસ શેખર કુમાર યાદવે અરજીકર્તા જાવેદની જામીન અરજી ફગાવી દેતા આ નિરીક્ષણ કર્યું હતું. જાવેદ પર આરોપ છે કે તેના સાથીઓ સાથે મળીને વાદી ખિલેન્દ્ર સિંહની ગાયની ચોરી અને હત્યા કરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, "હિન્દુ ધર્મ અનુસાર ગાયમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ છે. ઋગ્વેદમાં ગાયને અઘણ્ય, યજુર્વેદમાં ગૌર અનુપમેયામાં અને અથર્વેદમાં સંપત્તિઓનું ઘર કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણને તમામ જ્ઞાન ગૌચરણોથી પ્રાપ્ત થયું હતું"
ભગવાનથી લઈને મહાપરૂર્ષ સુધી બધાએ આપી ગાય વિશે વ્યાખ્યા
કોર્ટે કહ્યું, “ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે ગાય કે બળદને મારવો એ માણસને મારવા સમાન છે. બાલ ગંગાધર તિલકે કહ્યું હતું કે મને મારી નાખો પણ ગાય પર હાથ ન ઉપાડો. પંડિત મદન મોહન માલવિયાએ સંપૂર્ણ ગૌહત્યા પર પ્રતિબંધની હિમાયત કરી હતી. ભગવાન બુદ્ધે ગાયને માણસના મિત્ર તરીકે વર્ણવી છે. જ્યારે જૈનોએ ગાયને સ્વર્ગ કહ્યું છે.
સદીઓથી ગાયની પૂજા કરે છે હિન્દુઓ
કોર્ટે કહ્યું, "ભારતીય બંધારણની રચના સમયે, બંધારણ સભાના ઘણા સભ્યોએ ગૌરક્ષાને મૂળભૂત અધિકાર તરીકે સમાવવા અંગે વાત કરી હતી. હિન્દુઓ સદીઓથી ગાયની પૂજા કરે છે. બિન-હિન્દુઓ પણ આ સમજે છે અને આ જ કારણ છે કે હિન્દુ લાગણીઓને માન આપીને બિન-હિન્દુ નેતાઓએ મુઘલ કાળ દરમિયાન ગૌહત્યાનો સખત વિરોધ કર્યો હતો. અલ્હાબાદ કોર્ટે કહ્યું કે ભારતીય સંવિધાનના નિર્માણ સમયે સંવિધાન સભાના ઘણાં સભ્યોએ ગૌરક્ષાને મૌલિક અધિકાર તરીકે શામેલ કરવાની વાત કરી હતી. હિંદુ સદીઓથી ગાયની પૂજા કરી રહ્યાં છે. આ વાત જે હિંદુઓ નથી તે પણ સમજે છે અને આ જ કારણ છે કે બિનહિંદુ નેતાઓ મુગલકાળમાં હિંદુ ભાવનાઓની કદર કરતા ગૌવધનો ભારે વિરોધ કર્યો હતો.
ખ્વાજા હસન નિઝામીએ શરૂ કરી હતી ચળવળ
કોર્ટના જણાવ્યા અનુસાર, દેશનું બહુમતી મુસ્લિમ નેતૃત્વ હંમેશા ગૌહત્યા પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધની તરફેણમાં રહ્યું છે. ખ્વાજા હસન નિઝામીએ એક ચળવળ શરૂ કરી હતી અને તેમણે એક પુસ્તક લખ્યું હતું - 'તર્ક એ ગાઓ કુશી' જેમાં તેમણે ગાયોને ન મારવા વિશે લખ્યું હતું. બાદશાહ અકબર, હુમાયુ અને બાબરે તેમની સલ્તનતમાં ગાયની હત્યા ન કરવાની અપીલ કરી હતી.
ગાયનું કલ્યાણ થશે ત્યારે જ આ દેશનું કલ્યાણ થશે : HC
અદાલતના જણાવ્યા અનુસાર,"જમિયત-એ-ઉલેમા-એ-હિંદના મૌલાના મહમૂદ મદનીએ ભારતમાં ગૌવંશ પર પ્રતિબંધ માટે કેન્દ્રીય કાયદો લાવવાની માંગ કરી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની અને હિન્દુઓના મૂળભૂત અધિકારમાં ગાયની સુરક્ષાને સમાવવાની જરૂર છે."કોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે ગાયનું કલ્યાણ થશે ત્યારે જ આ દેશનું કલ્યાણ થશે અને કેટલીકવાર ગાયના રક્ષણ અને સંવર્ધનની વાત કરનારા જ ગાયના ભક્ષક બને છે તે જોવું ખૂબ જ દુઃખદાયક છે.