વિશાલ ગોસ્વામી સહિત 3આરોપીને ક્રાઈમ બ્રાન્ચે આજે કોર્ટમાં રજૂ કર્યા હતાં. ખંડણીખોર કુખ્યાત અનેક રાજ્યોનાં ગુનાઓમાં સંડોવાયેલી આ આરોપીઓની પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે આરોપીને રિમાન્ડથી બચાવવા માટે તેમનાં વકીલે આ પ્રકારની દલીલ કરી હતી...
આરોપીનાં વકીલે દલીલ કરી ફક્ત ઇન્ટ્રોગેશન માટે ૩૦ દિવસના રિમાન્ડ ન અપાય
રિમાન્ડ ન મળે તે માટે આરોપીના ફેક એન્કાઉન્ટરની દેહશત પણ વ્યક્ત કરી હતી
કોર્ટે ૨૭ તારીખ સાંજે ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા
સરકારી વકીલે 30 દિવસનાં રિમાન્ડ માંગ્યા
અમદાવાદનાં કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીને કોર્ટમાં રજુ કરાયો હતો.
વિશાલ ગોસ્વામીનાં સાગરિત રીંકુ અને અજયને પણ કરાયો કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા.
ક્રાઈમ બ્રાન્ચે 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલે પોલીસ તરફથી દલીલ કરી હતી કે ગુનો ગંભીર છે. જેલમાં કોની જોડે ફોન પર વાત કરે છે તે જાણવા માટે રિમાન્ડ મંજુર કરવા જોઈએ. તેમજ સરકારી વકીલે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી માટે રિમાન્ડ મંજૂર રાખવામાં આવે.
કોર્ટે 27 તારીખ સુધીનાં રિમાન્ડ આપ્યા
બીજી તરફ આરોપીનાં વકીલે નવા કાયદા મુજબ ૩૦ દિવસના રિમાન્ડ ન આપવા જોઈએ. ફક્ત ઈન્ટ્રોગેશન માટે 30 દિવસનાં રિમાન્ડ ન આપવા જોઈએ. આરોપીનાં વકીલે આરોપીનું એન્કાઉન્ટર થઈ જવાનો ભય વ્યક્ત કર્યો હતો. જોકે કોર્ટે પોલીસનાં પુરાવા અને તપાસમાં મદદ મળી રહે તે માટે 27 તારીખનાં સાંજનાં 4 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.
આ રહ્યો વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ રેકોર્ડ
વિશાલ ગોસ્વામી જેલમાં બેસીને ખંડણીનુ નેટવર્ક ચલાવતો હતો. વિશાલ ગોસ્વામીનાં સાગરિતો વેપારીઓને ધમકી આપતાં હતાં. વિશાલ ગોસ્વામી સહિત તેની ગેંગના સાત આરોપીઓ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરવા બદલ ગુજરાત રાજ્યનો સૌપ્રથમ ગુનો ગુજસીટોક હેઠળ નોંધાયો છે. વિશાલ ગોસ્વામી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ રહીને પણ ખંડણીનુ નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી ચાલતા આ નેટવર્કની માહિતી બે મહિના પહેલા ક્રાઈમ બ્રાંચ પાસે આવી અને તેની તપાસ કરતા કુલ 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો.
જેમાંથી બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાઇગર ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને સૂરજ ગોસ્વામીની ધરપકડ કરી કુલ 20 મોબાઈલ, પીસ્ટલ અને 40 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે ગુનાના મુખ્ય આરોપી વિશાલ, અજય અને રીંકુ જેલમાં પણ મોબાઈલથી ખંડણીની કરતા હોવાની વાત સામે આવતા પોલીસે સર્ચ કરી ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા. જોકે ગત ડિસેમ્બર માસમાં એક વેપારી પાસે આ ગેંગે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાની જાણ થતા પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી હતી.
અમદાવાદ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં 51થી વધુ ગુનાઓ વિશાલ ગોસ્વામીને વિરુદ્ધ નોંધાવી ચૂક્યા છે. વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો.