મહિસાગરના બાલાસિનોરમાં આવેલ KGM હોસ્પિટલે પથરીનો ઈલાજ કરવા આવેલ દર્દીની કિડની કાઢી લીધી જેના કારણે તે દર્દીનું મોત થયું હતું, જેથી કોર્ટે તે હોસ્પિટલને 11.23 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યા છે.
10 વર્ષ પહેલા દર્દીનું થયું હતું મોત
પથરીનો ઈલાજ કરવા દર્દીની કિડની કાઢી લીધી હતી
કિડની કાઢી લેવાના કારણે દર્દીનું થયું હતું કરૂણ મોત
મહિસાગરમાં બાલાસિનોરની હોસ્પિટલ KMGમાં 2012માં એક બનાવ બન્યો હતો. જેમા ડૉક્ટરોએ પથરીથી પીડાતા દર્દીની કિડની કાઢી લીધી હતી. તબીબોએ એવું કીધું હતું કે કિડની કાઢવી દર્દીના હિતમાં છે. જેથી ઓપરેશન કરીને તેની કિડની કાઢી લીધી હતી. જોકે બાદમાં પછી દર્દીની તબિયત ભંયકર ખરાબ થતા તેનું મોત થયું હતું.
પરિવારજનોએ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા હતા
2011માં દેવેન્દ્ર રાવલ નામના વ્યક્તિ પથરીની સારવાર માટે દાખલ થયા હતા જ્યા હોસ્પિટલે તેમની કિડની કાઢી લીધી હતી. બાદમાં તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ ખસેડવાંમા આવ્યા હતા જ્યા તેમનું મોત થયું તો પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
કોર્ટને 11.23 લાખનું વળતર ચુકવવા આદેશ
જોકે હવે કોર્ટ દ્વારા દર્દીના પરિવારને વળતર ચૂકવવા માટે KGM હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના પરિવારે ગ્રાહક તકરાર નિવારણનો સંપર્ક કર્યો હતો. બાદમાં ગ્રાહક અદાલતે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. જેમાં હોસ્પિટલને 11.23 લાખનું વળતર ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે.
મૃતક દર્દીના સંબંધી 7.5 ટકાના વ્યાજ સાથે વળતર ચૂકવણું કરવા આદેશ
આ બાબતે ગ્રાહક કોર્ટે હોસ્પિટલને ઓપરેશન વખતે થયેલી બેદરકારીને કારણે સીધા કે આડકતરી રીતે દર્દીનો જીવ ગયો હોય તેવુ સંજ્ઞાન લીધું છે. કોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે એમ્પ્લોયર માત્ર પોતાના કૃત્યો અને કમિશન માટે જવાબદાર નથી, પણ કર્મચારીઑની બેદરકારી માટે પણ જવાબદાર છે જ્યાં સુધી તે ફરજ દરમિયાન હાજર હોય. આ જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત મુજબ ''માલિકને જવાબ આપવા દો''ના પર આધારીત છે. આથી KMG જનરલ હોસ્પિટલને વર્ષ 2012થી અત્યાર સુધી 7.5 ટકાના વ્યાજ સાથે 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ પારિત કર્યો છે.
કિડની કામ કરતી બંધ થતાં દર્દીનું મોત
ઓપરેશન વખતે દર્દી અને પરિવારની જાણ બહાર હોસ્પિટલના ડોક્ટરે કિડની જ કાઢી નાખી હતી આ થી પથરીની પીડાતા દેવેન્દ્રભાઈ રાવલ હવે કિડની વગરના થઈ જતાં તેમની તકલીફમાં અસહ્ય વધારો થઈ ગયો હતો.આથી નડિયાદની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવાની સલાહ આપવામાં આવી. જોકે ત્યાં પણ તેમની સ્થિતિ ન સુધરતા તેમને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં 8 જાન્યુઆરી 2012માં કિડની કામ કરતી બંધ થઈ જતા દર્દી મોતને ભેટયા હતા.