પીડિતાએ જજ અને વકીલ સામે કર્યા હતા આક્ષેપ, અશોક જૈનની અન્ય કોર્ટમાં સુનવણી કરવા કરી હતી માંગ
વડોદરા દુષ્કર્મ કેસમાં દંડ
જજ અને વકીલ પર પીડિતાએ કર્યા હતા આરોપ
રૂ.1 હજારનો દંડ ફટકાર્યો
એક તરફ વડોદરા ગોત્રી હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસના આરોપીઓ અશોક જૈન અને રાજૂ ભટ્ટ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. બીજી તરફ હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તે દરમિયાન દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ પીડિતાએ અશોક જૈનની અન્ય કોર્ટમાં સુનવણી કરવા માંગ કરી હતી જે પર કોર્ટ સહમતી ન આપતા પીડિતાએ જજ અને વકીલ સામે આરોપ મૂક્યા હતા. જેનો સંજ્ઞાન લઈ કોર્ટે આજે પીડિતાને દંડ ફટકાર્યો છે. જો કે અરજી કર્યાના બે દીવસ બાદ ભૂલ સમજાતા પીડિતાએ કોર્ટમાંથી અરજી પરત ખેંચી હતી પણ જજ અને વકીલ સામે આક્ષેપ કરવા નો પીડિતાને દંડ કરવામાં આવ્યો હતો. કોર્ટે પીડિતાની અરજી પરત ખેચવાને મંજૂરી આપી હતી અને બાદમાં રૂ.1 હજારનો દંડ ફટકારી દંડની રકમ જમા કરી બિનશરતી માફી માંગવા કોર્ટે આદેશ કર્યો હતો.
શું હતી દુષ્કર્મની ઘટના?
દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે 2 થી 3 સપ્ટેમ્બર દરમિયાન પીડિતા નિસર્ગ એપાર્ટમેન્ટમાં ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી હતી. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
બંને આરોપીઓ જેલ ભેગા
વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના પૂર્વ સ્ટ્રટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી લઇ લગભગ 20 દીવસ સુધી અશોક જૈન ફરાર હતો પરતું ક્રાઈમ બ્રાન્ચે અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી હતી. તો અન્ય આરોપી રાજૂ ભટ્ટની જુનાગઢથી ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને આરોપીને મદદ કરનાર કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થતા રહ્યા છે કોર્ટમાં હાલ કેસ પર સુનાવણી ચાલી રહી છે.ત્યારે આજે પીડિતાએ અશોક જૈનની અન્ય કોર્ટમાં સુનવણી કરવા માંગ કરી હતી જેના પર સહમત ન થતા પીડિતાએ જજ અને વકીલ સામે આક્ષેપ કર્યા હતા જે બાદ કોર્ટે 1 હજારનો દંડ ફટકારી અરજી પરત ખેંચવા મંજૂરી આપી હતી.