ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં મોખરાનું સ્થાન ધરાવનાર વૈજ્ઞાનિક ડો. મોહસિન ફખરીજાદેહની હત્યા કરી નાખવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે આ હત્યા ઈરાની રાજધાની તેહરાનના પૂર્વમાં દામવંદમાં કરવામાં આવી હતી.
ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા
ડો. મોહસિન ફખરીજાદેહની ઓળખ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ તરીકે હતી
રાજધાની તેહરાનના પૂર્વમાં દામવંદમાં કરાઇ હત્યા
ઈરાન ના ટોપ ન્યુક્લિયર સાઇન્ટિસ્ટ ગણી શકાય તેવા ડો. મોહસિન ફખરીજાદેહની હત્યા કરી કરી નાખવામાં આવી છે. આ વૈજ્ઞાનિક ઇરાન ના પરમાણુ કાર્યક્રમમાંઅ મોખરાનું સ્થાન ધરાવતા હતા, જેના લીધે તેમને ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ કહેવામાં આવે છે.
ઇરાને કહ્યું,"બદલો લઈશું"
ઇરાન ના રેવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરનું કહેવું છે કે ઈરાન, તેના વૈજ્ઞાનિકોની હત્યાઓનો બદલો લેશે, જેવુ કે ભૂતકાળમાં પણ બન્યું છે. દેશના પરમાણુ કાર્યક્રમમાં મોખરાનું સ્થાન ધરાવતા ડો. મોહસિન ફખરીજાદેહ ની તેહરાનના પૂર્વમાં દામવંદમાં હત્યા કરી નાખવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 27 નવેમ્બર 2020ના રોજ દામવંદના એબાર્ડ ક્ષેત્રમાં ડો મોહસિનની હત્યા કરી નાખવામાં આવી હતી. નોંધનીય છે કે ડો મોહસિન ઈરાન ના ઈમામ હુસૈન વિશ્વવિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા અને રક્ષા વિભાગ અને સેનાના પુરવઠા વિભાગમાં પણ કામ સાંભળી રહ્યા હતા.