છેલ્લા 21 વર્ષથી એક ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલી નિધિ રાઝદાને ગયા વર્ષે જૂનમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની નોકરી માટે 21 વર્ષ જૂની પત્રકારત્વની નોકરીમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, શુક્રવારે તેણે જણાવ્યું હતું કે તે સાયબર ફ્રોડ નો ભોગ બની છે અને હાર્વર્ડ દ્વારા તેને આવી કોઈ જ નોકરીની ઓફર કરવામાં આવી નથી.
વરિષ્ઠ પત્રકાર નિધિ રાઝદાન બની સાયબર ફ્રોડનો શિકાર
હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીની ઓફરને પગલે છોડી હતી નોકરી, પછી ખબર પડી આ ફ્રોડ હતું
સોશિયલ મીડિયામાં નિવેદન જાહેર કરીને કહ્યું, હવે આના વિશે વાત નહીં કરું
દેશમાં લોકો આજકાલ સાયબર ફ્રોડના ઘણા કિસ્સામાં ફસાઈ રહ્યા છે અને નુકસાન ભોગવી રહ્યા છે, પરંતુ એક જાણીતી ન્યુઝ ચેનલની પત્રકાર નિધિ રાઝદાનની સાથે જે થયું તે જાણીને માનવું મુશ્કેલ બનશે. છેલ્લા 21 વર્ષથી એક ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલ નિધિએ ગયા વર્ષે જૂનમાં ટવીટ કર્યું હતું કે તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની નોકરી મળી છે, તેથી તે પત્રકારત્વની કારકીર્દિને અલવિદા કહી રહી છે. જો કે, હવે સાત મહિના પછી, તેણે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે તે એક વ્યાપક સાયબર ફ્રોડ નો ભોગ બની છે અને હાર્વર્ડ દ્વારા તેને આવી કોઈ નોકરીની ઓફર કરવામાં આવી નથી.
NDTV has taught me everything. It has been my home. I am proud of the work we do, the stories we cover, the values we stand for, especially at a time when the much of the media has surrendered its objectivity 2/n
નિધિએ શુક્રવારે ટ્વીટ કરીને તેની સાથેની આખી ઘટના વિશે માહિતી આપી હતી. નિધિએ ટિ્વટ કર્યું હતું કે, 'હું ઘણા મોટા ફિશિંગ એટેકનો ભોગ બની છું. હું એક નિવેદન આપીને આ જાહેર કરી રહી છું જેના પછી હું સોશિયલ મીડિયામાં આના વિશે કોઈ જ ચર્ચા નહીં કરું.
I will miss my colleagues deeply. Most of all, I want to thank @PrannoyRoyNDTV@radhikaroyndtv for being the most incredible mentors and bosses. You took me in as a 22 year old and believed in me. I never say never, so TV may one day beckon again. Wish me luck
નિધિએ પોતાના નિવેદનમાં કહ્યું, 'જૂન 2020 માં મેં મારી 21 વર્ષીય પત્રકારત્વની કારકીર્દિને અલવિદા જાહેર કરી હતી કે હું આગામી થોડા દિવસોમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર (જર્નાલિઝમ) તરીકે જોડાઇશ. મને કહેવામાં આવ્યું હતું કે મારે સપ્ટેમ્બર 2020 સુધીમાં જોડાવું પડશે. હું તૈયારી કરી રહી હતી કે મને ફરીથી કહેવામાં આવ્યું હતું કે રોગચાળાને કારણે મારા ક્લાસીસ જાન્યુઆરી 2021 માં શરૂ થશે. દરમિયાન મારી સાથેના સંદેશા વ્યવહારમાં મને કેટલીક ભૂલો જોવા મળી હતી, પરંતુ મેં તેને અવગણી હતી, જો કે તે પછી જે થયું તે ચોંકાવનારું હતું. '
હાર્વર્ડ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે સાયબર ફ્રોડનો શિકાર બની છે
નિધિએ કહ્યું, 'આ પછી મેં પરિસ્થિતિને સમજાવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો સીધો સંપર્ક કર્યો. મારા ટોટલ સંદેશા વ્યવહારની ડિટેલ્સ મે શેર કરી હતી જેના પછી મને ખબર પડી કે હું એક અલગ પ્રકારનાં ફિશિંગ એટેકનો ભોગ બની છું અને હકીકતમાં મને હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી તેના જર્નાલિઝમ વિભાગની ફેકલ્ટી બનવાની કોઈ ઓફર નથી આવી.
I have been the victim of a very serious phishing attack. I’m putting this statement out to set the record straight about what I’ve been through. I will not be addressing this issue any further on social media. pic.twitter.com/bttnnlLjuh
નિધિની આ 'કબૂલાત' વાયરલ થઈ રહી છે, હાર્વર્ડ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બની ગયો છે
નિધિનું આ 'કબૂલાત' એકદમ વાયરલ થઈ રહ્યું છે. હાર્વર્ડ તેની ટ્વિટ બાદથી ટ્વિટર પર ટ્રેન્ડિંગ છે. જ્યારે લોકો આ અધમ મજાક માટે નિધિ પ્રત્યે સહાનુભૂતિ અનુભવી રહ્યા છે, ત્યારે મોટાભાગના લોકો આ બાબતને લઈને આઘાતમાં છે કે નિધિ જેવા વરિષ્ઠ પત્રકારો કેવી રીતે આવા સાયબર એટેકનો ભોગ બન્યા. નિધિની સપ્ટેમ્બરની ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે,
I’ve been overwhelmed by the calls & messages of support including the DMs here. I apologise for not writing back immediately. I’m taking a well earned break from social media for a few days & will return refreshed and as good as new. In the mean time keep safe everyone.
આ સિવાય સુરેશ એન. નામના અન્ય સોશિયલ મીડિયા યુઝરે સપ્ટેમ્બરમાં જ આ સંભવિત સાયબર ફ્રોડ તરફ ધ્યાન દોર્યું હતું. સુરેશે સપ્ટેમ્બરમાં પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'નિધિએ તેના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તે હાર્વર્ડ ખાતે ભણાવે છે, પરંતુ તેનું નામ ફેકલ્ટીની સૂચિમાં નથી. આ સિવાય જેનું નામ તેમણે લખ્યું છે તે વિષય હજી યુનિવર્સિટીમાં સૂચિબદ્ધ નથી. શું આ વેબસાઇટ અપડેટ ન થવાને કારણે છે અથવા હાર્વર્ડનું મન બદલાઈ ગયું છે? જો કે, નિધિ રઝદાનએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી છે અને આગળની તપાસ માટે તમામ દસ્તાવેજો હાર્વર્ડ યુનિવર્સિટી પ્રશાસનને પણ સોંપી દીધા છે.