દેશમાં પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેન્કમાં બદલાવ થવા જઇ રહ્યો છે. જેનાથી બેન્કની હાલત તો સુધરશે જ સાથે ગ્રાહકોને પણ ફાયદો થશે.
દેશની સૌથી મોટી બેન્કમાં બદલાવ
ગ્રાહકો પર પણ થશે અસર
ક્રેડિટકાર્ડમાં પણ થઇ જશે બદલાવ
બેન્કના મુખ્ય કાર્યકારી અને અધિકારી શશિ જગદીશને જણાવ્યું કે બેન્કમાં બદલાવ થવા જઇ રહ્યાં છે.
ગ્રાહકોને થશે લાભ
એચડીએફસી બેન્ક તરફથી બેન્કોને વ્યાવસાયિક કાર્યક્ષેત્ર, અપૂર્તિ ચેનલ અને ડિજીટલ આ ત્રણ સ્તંભોને પુનર્ગઠિત કર્યા છે. કોર્પોરેટ બેન્કિંગના વર્તમાન સૂહના પ્રમુખે જણાવ્યું કે તેમને વાણિજ્ય અને ગ્રામીણ કાર્યક્ષેત્ર સોંપવામાં આવ્યુ છે. બેન્કને ડિજીટલ કરશે જેથી આવનારા અવસરોનો લાભ ઉઠાવી શકાય.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં, વિવિધ ગ્રાહક ક્ષેત્રોમાં તકોનો પૂર્ણ લાભ લેવા માટે કેન્દ્રિત વ્યવસાયિક અને વિતરણ ચેનલોની રચના કરવામાં આવી છે. જગદિશેને કહ્યું, "મને વિશ્વાસ છે કે આ માળખું જરૂરી વ્યૂહાત્મક અને અમલની ક્ષમતાઓનું નિર્માણ કરશે, જેને આપણે ભારતભરના રિટેલ, એમએસએમઇ અને કોર્પોરેટ ક્ષેત્રોમાં અમારા ગ્રાહકોને સેવા આપવાની જરૂર છે."
ક્રેડિટકાર્ડમાં પણ થઇ શકે છે બદલાવ
લાઇવ મિંટના રિપોર્ટ અનુસાર બેન્ક કાર્ડ એન્ડ ટુ એન્ડ પ્રોસેસિંગ અને સુરક્ષા સારી બનાવવા માટે પોતાના કાર્ડ પ્લેટફોર્મને ફિનટેક કંપનીમાં ટ્રાંસફર કરી શકે છે. ફિનટેકને ઓનલાઇન બેન્કીંગ અને ક્રેડિટકાર્ડ રજૂ કરવા માટે એક સારુ પ્લેટફોર્મ માનવામાં આવે છે.