મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લાં કેટલાંક સમયમાં દેશમાં જે મોટા બદલાવ થયા છે, તેનાથી દેશમાં ડેટાનો એક મોટો જથ્થો ક્રિએટ થયો છે તેનો લાભ બૅંકિંગ સેક્ટરે જરૂર ઉઠાવવો જોઈએ.
કેન્દ્ર સરકારે બેંકિંગ સેક્ટરને દરેક રીતે સપોર્ટ કર્યો છે
દેશને આત્મનિર્ભર બનાવવા બેંકિંગ સેક્ટરનું એક મોટું માઈલસ્ટોન છે.
તમે પણ અનુભવી શકો છો કે બેંકોની નાણાંકીય સ્થિતિ સારી છે ઃ PM મોદી
Speaking at a symposium to ‘Build Synergy for Seamless Credit Flow and Economic Growth.’ https://t.co/yO3gKO5awV
કેન્દ્ર સરકારે બેંકિંગ સેક્ટરને દરેક રીતે સપોર્ટ કર્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ક્રિએટિંગ સિનર્ઝિઝ ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ પર કોન્ફરન્સને સંબોધિત કર્યુ. PM Narendra Modi એ આ દરમ્યાન કહ્યું કે સરકારે છેલ્લા 6થી 7 વર્ષોમાં જે સુધાર કર્યા છે, બેંકિંગ સેક્ટરને દરેક રીતે સપોર્ટ કર્યો અને તેના કારણે આજે દેશનું બૅંકિંગ સેક્ટર ખૂબ મજબૂત સ્થિતિમાં છે.
તમે પણ અનુભવી શકો છો કે બેંકોની નાણાંકીય સ્થિતિ સારી છે ઃ PM મોદી
PM મોદીએ કહ્યું તે તમે પણ અનુભવી શકો છો કે બેંકોની નાણાંકીય હાલત હવે ઘણી સુધરેલી સ્થિતિમાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા જેટલી પણ તકલીફો હતી તેને એક એક કરીને તેનું સમાધાન લાવવાના વિકલ્પો શોધ્યા છે. તેમણે NPAsની મુશ્કેલીના મુદ્દા પર વાત કરી, બેંકોનું રિકેપિટલાઈઝ કર્યુ, તેની તાકાત વધારી. તેમણે આગળ કહ્યું કે તેઓ IBC જેવા સુધારા લાવ્યા, ઘણા કાયદાઓમાં સુધારા કરી રિકવરી ટ્રિબ્યુનલની તાકાત વધારી. કોરોનાકાળમાં દેશમાં એક અલગથી સ્ટ્રેસ્ડ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલનું પણ ગઠન કર્યુ.
દેશને આત્મનિર્ભર બનાવવા બેંકિંગ સેક્ટરનું એક મોટું માઈલસ્ટોન છે.
પીએમ મોદીએ દેશમાં બેંકિંગ વ્યવસ્થાની મજબૂતી પર વાત કરતા કહ્યું કે આજે ભારતમાં બેંકોની તાકાત એટલી વધી છે કે દેશની અર્થવ્યવસ્થાને નવી ઊર્જા આપવામાં, એક મોટો ધક્કો દેવામાં અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે તેઓ આ તબક્કાને ભારતના બેંકિંગ સેક્ટરનું એક મોટું માઈલસ્ટોનું માને છે.
બેંકોએ હવે પાર્ટનરશીપ મોડલ અપનાવવું પડશે.
મોદી બોલ્યાં કે તમે અપ્રુવર છો અને સામે વાળો એપ્લીકન્ટ છે. તમે દાતા છો અને સામે વાળો યાચક, આ ભાવનાને છોડીને હવે બેંકોએ પાર્ટનરશીપ મોડલ અપનાવવું પડશે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમ્યાન કેન્દ્રની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI) પર પણ વાત કરી. તેમણે કહ્યું કે તમે સૌ PLI સ્કીમ વિશે જાણો છો. જેમાં સરકાર પણ કંઈક આવું જ કરી રહી છે. જે ભારતના મેન્યુફેક્ચર્સ છે, તેઓ પોતાની કેપેસિટી વધારે, પોતાનો ગ્લોબલ કંપનીમાં બદલે અને તેના માટે સરકાર તેમને પ્રોડક્શન પર ઈન્સેન્ટિવ આપી રહી છે.