કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલના નાણા વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન જીડીપીમાં ઘટાડાને લઈને લગાવવામાં આવેલા અંદાજને લઈને ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાસ સાધ્યું છે અને આરોપ મુક્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ભરવામાં આવેલા પગલાઓના કારણે દેશ પહેલી વાર આટલી મંદીમાં ચાલી રહ્યો છે. તેમણે એક સમાચારનો રેફરન્સ આપતા ટ્વીટ કર્યું છે કે ભારત ઈતિહાસમાં પહેલી વાર મંદીમાં ચાલ્યો ગયો છે. મોદીજી તરફથી ઉઠાવવામાં આવેલા પગલાથી ભારતની તાકાત તેની નબળાઈ બની ગઈ છે.
છ માસના પોતાના ઈતિહાસમાં પહેલી વાર મંદીના ચાલી રહ્યો છે
બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.6 ટકા ઘટવાનો અંદાજ છેઃ આરબીઆઈ
ભારતની તાકાતને મોદીજીને નબળાઈમાં ફેરવી છેઃ રાહુલ
India has entered into recession for the first time in history.
કોંગ્રેસના નેતાઓ જે સમાચાર શેર કર્યા છે કે મુબજ રિઝર્વ બેંકનું અનુમાન છે કે નાણા વર્ષ 2020- 21ના બીજા ક્વાર્ટર(જુલાઈ-સપ્ટેમ્બર) જીડીપીમાં 8.6 ટકામાં સમેટાઈ જશે.આ બાદ એક ટ્વીટમાં રાહુલે કહ્યું કે ભારતના ઈતિહાસમાં દેશમાં પહેલીવાર મંદી છવાયેલી છે. ભારતની તાકાતને મોદીજીને નબળાઈમાં ફેરવી છે. દેશ પહેલી વાર મંદીમાં બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.6 ટકા ઘટવાનો અંદાજ છેઃ આરબીઆઈ
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંત(આરબીઆઈ)ના એક અધિકારીએ કહ્યું કે ચાલૂ નાણા વર્ષની બીજા ક્વાર્ટ(જુલાઈ-સપ્ટેમ્બર)માં દેશનો જીડીપી એક વર્ષ પહેલાની સરખામણીએ 8.6 ટકા ઘટવાનો અંદાજ છે. આને સતત 2 ક્વાર્ટરમાં જીડીપી ઘટવાની સાથે દેશ પહેલી વાર મંદીમાં ઘેરાયો છે.
મહામારી અને લોકડાઉનની અસરથી પહેલા ક્વાર્ટરમાં 23.9 ટકામાં સમેટાયુ થયું હતુ. બીજા ક્વાર્ટરમાં જીડીપીના સરકારી આંકડી હજું આવ્યા નથી. પણ કેન્દ્રીય બેંકના અનુસંધાનકર્તાઓના તત્કાલિન પૂર્વાનુંમાન વિધિનો પ્રયોગ કરતા અંદાજો લગાવ્યો છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સંકુચન 8.6 ટકા સુધી રહેશે. આ અનુસંસાધન કર્તાઓના વિચાર બુધવારે જારી આરબીઆઈના માસિક બુલેટિનમાં પ્રકાશિત થયા છે.
આરબીઆઈએ પહેલા જ અનુમાન લગાવ્યું છે કે ચાલૂ નાણા વર્ષમાં જીડીપીમાં 9.5 ટકા ઘટાડો આવી શકે છે . આરબીઆઈના અનુસંધાનકર્તા પંકજ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલી અધ્યયન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ટેક્નિકલ રુપથી 2020-21 પહેલા છમાસના પોતાના ઈતિહાસમાં પહેલી વાર મંદીના ચાલી રહ્યો છે.