જમ્મુ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના 7 દિવસ બાદ કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે મોદી પર આરોપ લગાવ્યો છે. પુલવામાનો હુમલો થયો તે સમયે નરેન્દ્ર મોદી કોર્બેટ પાર્કમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા અને દેશ આખો શોક મનાવી રહ્યો હતો. જોઈએ આ અંગેનો અહેવાલ.
કોંગ્રેસે પુલવામાના હુમલાને લઈને 7 દિવસ બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે દેશ પુલવામાના શહીદોનો શોક મનાવતો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
સૂરજેવાલે સ્પષ્ટતા કરી કે પુલવામામાં બપોરે 3:30 વાગ્યે હુમલો કરાયો હતો અને મોદીજી 6:10 વાગ્યા સુધી શૂટિંગ કરતા નજરે પડ્યા હતા. જ્યારે આપણા સૈનિકોના શબ વિખરાયેલા પડ્યા હતા ત્યારે પી.એમ મોદી પોતાના નામનો જય ઘોષ કરાવવામાં વ્યસ્ત હતા. આતંકીઓની કરતૂત બાદ દેશના અનેક ઘરોના ચૂલા બંધ હતા ત્યારે નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ સ્થિત રામનગર ગેસ્ટ હાઉસમાં નાસ્તાની મજા લેતા હતા.
કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર વાર કરતા કહ્યું કે કોઈ દેશના ભાગ્યે જ કોઈ પ્રધાનમંત્રી એવા હશે કે જે આ રીતની હરકત કરે. હુમલાની જાણ બાદ પણ ત્રણ કલાક સુધી તેઓ શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ઉપંરાત તેમને ભાજપના અન્ય એક મંત્રીએ શહીદોના તાબૂત સાથે સેલ્ફી લીધી હતી અને લોકો પાલમ એરપોર્ટ પર શહીદોને અંજલી આપવા રાહ જોતા હતા. ત્યારે પણ નરેન્દ્ર મોદી લેટ પડયા હતા. કોંગ્રેસે શહીદોના બદલાની માંગ કરી છે અને ઈન્દિરા ગાંધીની જેમ પાકિસતનને જડબાતોડ જવાબ આપવાની માગ કરી છે.