યુદ્ધના 15મા દિવસે યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કિ આગળ આવ્યો છે.
રણે ચડેલા બે દેશો વચ્ચે તુર્કિ સમાધાન કરાવે તેવી શક્યતા રશિયા અને યુક્રેનના વિદેશમંત્રીઓની તુર્કિમાં થઈ બેઠક
યુદ્ધવિરામના મુદ્દે થઈ વાતચીત
રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન કરાવવા માટે હવે તૂર્કિ તૈયાર થયો છે.તુર્કિમાં રશિયા અને યુક્રેનના વિદેશમંત્રીઓની એક મોટી બેઠક યોજાઈ હતી. ગુરુવારે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અને યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા વચ્ચે મોટી બેઠક યોજાઈ હતી.
ઝેલેન્સ્કીએ રશિયાના પ્રમુખ પુતિનને સીધી મંત્રણાની ઓફર કરી
બન્ને દેશોના વિદેશમંત્રીઓએ યુદ્ધવિરામને લઈને ચર્ચા કરી હોવાનું જણાવાય છે. બીજી બાજુ ઝેલેન્સ્કીએ રશિયાના પ્રમુખ પુતિનને સીધી મંત્રણાની ઓફર કરી છે.
બે અઠવાડિયાના યુદ્ધ બાદ રશિયા અને યુક્રેનના વિદેશમંત્રી આવ્યાં સામસામે
રશિયા અને યુક્રેન વચ્ચે જારી બે અઠવાડિયાના જંગ બાદ બન્ને દેશોના વિદેશમંત્રી સામસામે આવ્યાં હતા. મારિયુપોલમાં બાળકોની એક હોસ્પિટલ પર રશિયાના હુમલા બાદ આખી દુનિયામાં તેની ટીકા કરી રહ્યાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'યુક્રેન માટે NATO સદસ્યતાની માંગને લઇને હવે તેઓ જોર નથી આપી રહ્યાં. રાષ્ટ્રપતિએ તેને સંવેદનશીલ મામલો ગણાવતા કહ્યું કે, રશિયન હુમલાનું એક કારણ આ પણ છે. સોમવારે રાત્રે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, "NATO તરફથી યુક્રેનને સ્વીકાર કરવામાં અસહમતિના સંકેત મળ્યા બાદ મે આ બાબત પર ઘણા સમય પહેલેથી જ વિચારવાનું છોડી દીધું હતું.
યુક્રેનમાં No fly Zone
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં 'No fly Zone'ને લાગુ કરવાને લઇને NATO એ ના કહી દીધી છે જેની પર ઝેલેન્સ્કી ભડકી ગયા. તેઓએ NATOના આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે, 'હવે રશિયાને યુક્રેનના શહેરો અને ગામડાંઓ પર બોમ્બમારો વરસાવવાની પરવાનગી મળી ગઇ છે.' ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે, 'NATO એ વાતથી અવગત છે કે, રશિયા હવે વધારે હુમલા કરશે. તેમ છતાં તેને જાણી જોઇને આ પ્રકારનો નિર્ણય લીધો છે.