દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા.
હરિયાણાની ઝાંખીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
સમગ્ર દેશમાં ગઈકાલે ધામધૂમથી 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ ધ્વજવંદન કર્યું હતું. જે બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજ્યની ઝાંખી જોવા મળી હતી. સાથે જ વાયુસેનાના 50 વિમાનોએ કરતબ દેખાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વખતના પ્રજાસત્તાક પર્વમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ વખતે VVIP લાઈનમાં શ્રમજીવીઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
કર્તવ્યપથ પર ટેબ્લોમાં ઝળકી ભારતીય સંસ્કૃતિ
આ પરેડની અનેક ખાસ વાતો છે જેમાંથી એક ઉડીને આંખે વળગે તેવી છે. કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત, આર્થિક અને સામાજિક પ્રગતિને દર્શાવતી 23 ઝાંખીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં અનેક મંદિરોના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાબા બર્ફાની, અયોધ્યાથી લઈને શ્રીકૃષ્ણ અને ભવાની માતા સાથે વિવિધતામાં એકતાનું પ્રતિક દર્શાવતી ઝાંખી દેશ અને વિશ્વ સમક્ષ મૂકી હતી.
'આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ' ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કર્તવ્ય પથ પર હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા. કર્તવ્ય પથ પર જેવી હરિયાણાની ઝાંખી પહોંચી કે દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ઝાંખીનું સ્વાગત કર્યું.
दिल्ली में #गणतंत्र_दिवस पर हरियाणा की झांकी के माध्यम से कुरुक्षेत्र में 5000 वर्षों से अधिक समय पहले घटित गाथा का चित्रण पेश किया गया।
કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને માહિતિ, જનસંપર્ક અને ભાષા વિભાગના મહાનિર્દેશક ડો.અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કુરુક્ષેત્રને વિશ્વના સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. પવિત્ર નદી સરસ્વતીના કિનારે વેદો અને પુરાણોની રચના થઈ હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો શાશ્વત સંદેશ આપ્યો હતો, તેથી કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે.
#RepublicDay2023 | The tableau reflects design based on Bhagavad Gita the greatest intellectual contribution to mankind. In its entirety, the tableau shows Lord Krishna serving as the charioteer of Arjuna and giving him the knowledge of Gita.#RepublicDayWithDoordarshanpic.twitter.com/Hgty4A8pRY
ભવ્ય ઝાંખીએ દર્શકોના દિલમાં પોતાની અમીટ છાપ છોડી
તેમણે જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની પરેડમાં હરિયાણાની ઝાંખી રજૂ કરવામાં આવેલ. જેમાં ગીતાનો સંદેશ માનવજાતને મળેલી સૌથી મોટી બૌદ્ધિક ભેટ છે. કર્મનો આ શાશ્વત સંદેશ સમગ્ર માનવતા દ્વારા અનુસરવાનું ઉદાહરણ છે. આ ઝાંખીમાં ભગવાન કૃષ્મને અર્જુનના સારથી તરીકે સેવા આપતા અને તેમને ગીતાનું જ્ઞાન આપતા દર્શાવવામાં આવ્યા છે. ઝાંખીની પ્રથમ ઝલક આધ્યાત્મિકતા, કલા અને ઈતિહાસની ઝલક આપે છે. ઝાંખીના અગ્રભાગમાં ભગવાન શ્રીકૃષ્ણના 'વિરાટ સ્વરૂપ'ના દર્શન થાય છે, જેવું યુદ્ધ ભૂમિ પર તેમણે અર્જુનની સામે પ્રદર્શિત કર્યું હતું. વિરાટ સ્વરૂપની પ્રદર્શિત પ્રતિમામાં શ્રી વિષ્ણુના 9 માથા ક્રમશઃ અગ્ની, નૃસિંહ, ગણેશ, શિવ, વિષ્ણુ, બ્રહ્મા, અશ્વિની કુમાર, હનુમાન અને પરશુરામની પ્રદર્શિત પ્રતિમામાં દર્શાવવામાં આવ્યા છે. દિવ્ય સર્પ માથ પર ઢંકાયેલ છે. શ્રી વિષ્ણુએ જમણા હાથમાં તલવાર, ત્રિશુલ, કમળ, સુદર્શન ચક્ર અને ડાબા હાથમાં શંખ, ભાલા, ધનુષ્ય, નાગ, ગદા વગેરે ધારણ કરેલે છે. નીચેનો ભાગ શેષનાગ અને લહેરોનો ગોળાકાર આપવામાં આવ્યો છે. આ ઝાંકીના અંતિમ ભાગમાં કુરુક્ષેત્ર યુદ્ધ ક્ષેત્રમાં ચાર ઘોડાની સાથે એક ભવ્ય રથ દર્શાવવામાં આવ્યો. કર્તવ્ય પથ પર હરિયાણાની ભવ્ય ઝાંખીએ દર્શકોના દિલમાં પોતાની અમીટ છાપ છોડવામાં સફળ રહી.