કોરોનાકાળમાં રોજ મૃત્યુ થાય છે અને રોજ આપણે દુઃખી થઇએ છીએ પરંતુ મહારાષ્ટ્રમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઇને તમે દાંતમાં આંગળી દબાવી લેશો.
વૃદ્ધાનુ કોરોનાના કારણે થયુ મોત
અંતિમ સંસ્કારની તૈયારીઓમાં વ્યસ્ત પરિવાર
અચાનક વૃદ્ધા ઉભી થઇ અને...
મહારાષ્ટ્રના એક ઘરમાં વૃદ્ધાની મોત થઇ હતી અને લોકો તેની લાશની આસપાસ બેસીને રડી રહ્યાં હતા. પરિવારના સભ્યો દુઃખી હતી અને એવામાં જ તે વૃદ્ધા ઉભી થઇ હતી અને તેણે લોકોને કહ્યું કે આ બધુ શું ચાલી રહ્યું છે.
કેવી રીતે લાશ ઉભી થઇ હતી ?
શકુંતલા નામની વૃદ્ધાની તબિયત ખરાબ થઇ હતી અને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જે બાદ તેમને ક્વોરંટાઇન કરી દેવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ ખરાબ થવા લાગી ત્યારે તેમને હોસ્પિટલમાં લઇ જવાનુ નક્કી કર્યુ હતુ.
પરિવારને બેડ મળ્યો ન હતો અને તેમની તમામ કોશિશ સફળ થઇ શકી નહોતી જેના કારણે મહિલા બેભાન થઇ ગઇ હતી અને તેનું હલનચલન પણ બંધ થઇ ગયુ હતું. પરિવારને ખ્યાલ આવી ગયો કે વૃદ્ધાનું મોત થયુ છે અને પરિવારના અન્ય સભ્યોને પણ જાણ કરી દેવામાં આવી. અંતિમ સંસ્કારની બધી તૈયારી કરી દેવામાં આવી હતી.
વૃદ્ધાને ઘરે લઇ ગયા અને પરિવારના લોકો રુદન કરી રહ્યાં હતા ત્યારે લાશ ઉભી થઇ અને બોલવા લાગી કે આ બધુ શું થઇ રહ્યું છે. બાદમાં તે વૃદ્ધા રડવા લાગી હતી અને પરિવાર ખુશ થઇ ગયો હતો કારણ કે તે વૃદ્ધા મૃત્યુ નહોતી પામી પરંતુ માત્ર બેભાન જ થઇ હતી.