ઉત્રાણ પાવર સ્ટેશનના અધિકારી આર આર પટેલે કહ્યું કે, કુલિંગ ટાવરને ઉતારી લેવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ જે અનુસંધાને તમામ વિભાગને લેખિતમાં જાણ પણ કરી દેવામાં આવી છે.
ઉત્રાણ પવાર સ્ટેશનનો કુલિંગ ટાવર તોડી પડાશે
30 વર્ષ જૂના અને 85 મીટર ઉંચો કુલિંગ ટાવર તોડી પડાશે
વર્ષ 2017માં 30 વર્ષ પૂર્ણ થયા હોવાથી તોડવાનો નિર્ણય લેવાયો
સુરતના ઉત્રાણ પવાર સ્ટેશનનો કુલિંગ ટાવર તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે 11 વાગ્યના સમય દરમિયાન ઉત્રાણ પાવર સ્ટેશનનો 30 વર્ષ જૂનો 85 મીટર ઉંચો કુલિંગ ટાવર તોડી પાડવામાં આવશે.
કેમ આ કુલિંગ ટાવર તોડી પડાશે
30 વર્ષ જૂના અને 85 મીટર ઉંચો કુલિંગ ટાવરને તોડી પાડવાનો નિર્ણય એટલે લેવાયો છે કે, સરકારી પાવર સ્ટેશનોમાં આવેલા ટાવરોની ચોક્કસ સમય મર્યાદાઓ હોય છે જેના કારણે તેના નિર્માણ બાદ 35 વર્ષ આજુબાજુના સમય દરમિયાન તોડી પાડવામાં આવતું હોય છે. તમને જણાવી દઈએ કે, આ કુલિંગ ટાવરને વર્ષ 2017માં 30 વર્ષ પૂર્ણ થયા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. જે નિર્ણયના કારણે આવતી કાલે 11 વાગ્યાથી લઈ 11.30 સુધીના સમયગાળા દરમિયાન આ ટાવર તોડી પાડવામાં આવશે.
આ રીતે તોડી પડાશે કુલિંગ ટાવર
પાપ્ત વિગતો મુજબ કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી આ ટાવર તોડી પાડવામાં આવશે. આ 85 મીટરની ઉંચાઈ ધરાવતા આ કુલિંગ ટાવરમાં 72 જેટલા પિલરો પણ આવેલા છે. જે 72 પિલરોમાં હોલ પાડવામાં આવ્યા છે. જેમાં એક પિલરમાં 20 જેટલા હોલ પાડવામાં આવ્યા છે જેમાં પિલરમાં એક્સપ્લોઝિવ મુકવામાં આવ્યો છે. જેના માધ્યમથી રિમોર્ડ કંન્ટ્રોલથી તોડી પાડવામાં આવશે
ઉત્રાણ પાવર સ્ટેશનના અધિકારીનું નિવેદન
ઉત્રાણ પાવર સ્ટેશનના અધિકારી આર આર પટેલે કહ્યું કે, કુલિંગ ટાવરને ઉતારી લેવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ જે અનુસંધાને તમામ વિભાગને લેખિતમાં જાણ પણ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે અને અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સૂચના આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ અમે ખાસ કાળજી રાખી છે. 250 મીટર જેટલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી શકે છે. જેની ખાસ માહિતી સ્થાનિક લોકોને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ દ્વારા વારંવાર સર્વેની કાર્યવાહી કરવામાં આવી અને સર્વેમાં જે પણ બાબતોથી લોકોને જાગૃત કરી શકાય તેવી તમામ માહિતી તેમને અપાઈ છે.