છત્તીસગઢ કોંગ્રેસમાં દિવસેને દિવસે વિવાદ વધતો જતો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી બઘેલ અને સ્વાસ્થ્યમંત્રીએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી તેમ છતા વિવાદનો અંત નથી આવી રહ્યો છે.
છત્તીસગઢ કોંગ્રેસમાં વિવાદ વધ્યો
મુખ્યમંત્રી અને સ્વાસ્થ્યમંત્રી વચ્ચે ભારે વિવાદ
દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે થઈ 3 કલાકની બેઠક
છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટી એસ સિંહદેવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત લીધી તેમ છતા પણ કોંગ્રેસનો ઝઘડો અટકલવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા બે દિવસ આ મામલો હવે દિલ્હી સુધી પહોચી ગયો છે. જોકે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ એવું નિવેદન લગાવામાં આવી રહ્યું છે કે વિવાદનો અંત આવશે.
35 ધારાસભ્ય અને 3 મંત્રી દિલ્હીમાં
છેલ્લા બે દિવસથી આ વિવાદને લઈને 35 ધારાસભ્ય અને 3 મંત્રી દિલ્હી પહોચ્યા છે. હજું એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે 15 થી 20 જેટલા ધારાસભ્યો ફરી દિલ્હી પહોચી શકે છે. ધારાસભ્યો દિલ્હી પોહચવાને લઈને મામલો હવે ગરમાઈ ગયો છે. તે સ્પષ્ટ પણ જોઈ શકાય છે.
હાઈ કમાન્ડે ધારાસભ્યોને નથી બોલાવ્યા
જોકે આ મામલે પ્રદેશ પ્રભારી પીએલ પુનિયા અને પ્રદેશ અધ્યક્ષ મરકામ દિલ્હીમાં પહોચેલા ધારાસભ્યોને અનુશાસનમાં રહેવા જણાવી રહ્યા છે. કારણકે દિલ્હી હાઈ કમાન્ડે કોઈ પણ ધારાસભ્યને મળવા માટે નથી બોલાવ્યા
બેઠક બાદ પણ સમાધાન ન આવ્યું
આપને જણાવી દઈએ કે છત્તિસગઢમાં અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બની રહેવાને લઈને છેલ્લા 2 મહિનાથી ઉથલપાથલ જોવા મળી રહી છે. જેમા મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને સ્વાસ્થ્ય મંત્રી વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. પ્રદેશ પ્રભારી પીએલ પુનિયાએ બંને નેતાઓ સાથે બેઠક કરી તેમ છતા સમાધાન નથી થઈ રહ્યું
50 ધારાસભ્યો દિલ્હી જશે
ઉલ્લેખનીય છે કે બંને નેતાઓએ અંદાજે 3 કલાક સુધી રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. જેથી લોકોનો એવું લાગ્યું કે હવે આ વિવાદનો અંત આવી જશે,. પરંતુ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાયપુર પહોચ્યા ત્યારબાદ તેમણે ધારાસભ્યો સાથે બેઠક કરી અને ત્યારબાદ ધારાસભ્યો દિલ્હી પહોચી ગયા છે. એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે 50 જેટલા ધારાસભ્ય આજે દિલ્હી જશે. સાથેજ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ દિલ્હી જવાના છે.