બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિવાદસ્પદ નિવેદન કર્યુ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માટે સુરૂચિનો ભંગ થાય તેવા શબ્દો વાપર્યા હતા. વાવના ઈશ્વરીયા ગામની મિટિંગમાં બફાટ કર્યો હતો. રોડ રસ્તાના કામ નીતિન પટેલ કરતા નથી. કોંગ્રેસને ક્રેડિટ ન મળવે તે માટે રોડ રસ્તાના કામ રોકી રાખે છે.
તમને જણાવી દઇએ કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અગાઉ પણ ધાનેરાની ઠાકોર સંમેલનની જાહેરસભામાં ઠાકોરોને વણિકોએ પછાત રાખ્યાં છે. દુષ્કાળ સમયે ઘર છોડવા દીધું નહીં અને ઉધાર આપીને ઠાકોરો પાસેથી જમીન પડાવી લીધી. જેવુ વિવાદિત નિવેદન આપીને તેઓ ભારે ચર્ચામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે ગેનીબેન વાંરવાર પોતાનાં વિવાદીત નિવેદનથી સતત ચર્ચામાં જ રહે છે.