બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / અયોધ્યા રામ મંદિરના મુખ્ય શિખર પર નિર્માણ કાર્ય શરૂ, આટલા દિવસ બાદ લહેરાશે ધર્મ ધ્વજ

શિખરની શરૂઆત / અયોધ્યા રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ કાર્ય શરૂ, આટલા દિવસ બાદ લહેરાશે ધર્મ ધ્વજ

Last Updated: 05:12 PM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગર શૈલીના મંદિરમાં શિખર નિર્માણ પણ તે જ શૈલીનું હશે, જેને સોમપુરા આર્કિટેક્ટ્સે ડિઝાઇન કર્યું છે. આ ડિઝાઇનને અગાઉથી જ ટ્રસ્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આખા મંદિરની શિખર સુધીની ઊંચાઈ 161 ફૂટ છે. શિખર નિર્માણમાં ઓછામાં ઓછા 120 દિવસનો સમય લાગશે.

અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ આજથી શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા મંદિર નિર્માણ સ્થળ પર પૂજા કરવામાં આવી અને પછી શિખરમાં લાગનારા મુખ્ય પથ્થરની મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવી. મંદિર નિર્માણ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ અયોધ્યામાં પહોંચી ગઈ છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર પણ અયોધ્યામાં હાજર છે.

નાગર શૈલીના મંદિરમાં શિખર નિર્માણ પણ તે જ શૈલીનું હશે, જેને સોમપુરા આર્કિટેક્ટ્સે ડિઝાઇન કર્યું છે. આ ડિઝાઇનને અગાઉથી જ ટ્રસ્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આખા મંદિરની શિખર સુધીની ઊંચાઈ 161 ફૂટ છે. શિખર નિર્માણમાં ઓછામાં ઓછા 120 દિવસનો સમય લાગશે. શિખર પર ધર્મ ધ્વજ પણ હશે.

મજબૂતી અને સુંદરતાનો સમન્વય હશે

મંદિરમાં શિખર સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. તેના માટે નિર્માણ શરૂ થતાં જ તમામ એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર હતા. રામ મંદિરના નિર્માણની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને શિખરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે માટે તેની મજબૂતી અને સુંદરતા બન્નેનું ધ્યાન રાખવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં તિરુપતિના લાડુ વિતરણ

સોમપુરા આર્કિટેક્ટ્સ ઉપરાંત કન્સ્ટ્રક્શન એજન્સી લાર્સન એન્ડ ટૂબ્રો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂડકી, નેશનલ જિયો ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતો પણ હાજર રહ્યા.

હોળી પહેલા રામ દરબાર તૈયાર થઈ જશે

રામ મંદિર આવનારા લોકોને ટૂંક સમયમાં જ રામ દરબારના દર્શન થશે. આવનારા વર્ષમાં હોળી પહેલા પ્રથમ માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. બેઠકમાં આ અંગે પણ ચર્ચા થઈ. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રે જાણકારી આપી છે કે રામ દરબારની ડિઝાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રામ દરબાર સંગેમરમર ની બનાવટમાં હશે. રામ દરબારમાં રામ, સીતા, ત્રણેય ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિ હશે. મૂર્તિકાર વસુદેવ કામથ દ્વારા આ ડિઝાઇન મંજૂર કરવામાં આવી છે. આવતા વર્ષ હોળી પહેલા રામ દરબાર સ્થાપિત થઈ જશે.

આખી ઇમારતના નિર્માણનું કામ પૂરું થવામાં આટલો સમય લાગશે

હાલમાં, મંદિરની આખી ઇમારતના નિર્માણનું કામ પૂરું થવામાં નક્કી થયેલા સમયથી બે મહિનાનો સમય વધુ લાગશે. મંદિરના પરકોટા અને સપ્ત મંડપનું કામ પણ સાથે ચાલી રહ્યું છે. મુખ્ય ઇમારત ઉપરાંત લેન્ડસ્કેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, અને પ્રથમ માળનું નિર્માણ લગભગ 90 ટકા પૂરું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shikhar Nirman Ayodhya Temple Ram Janmbhoomi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ