વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મ્યુકર્માઈકોસિસના દર્દીઓને ફ્રીમા સારવાર મળે તે માટે રજૂઆત કરી છે.
વાવના ધારાસભ્ય ગેનીબેનની મુખ્યમંત્રીને રજૂઆત
મ્યુકરર્માકોસિસના દર્દીઓની ફ્રીમાં સારવાર મળે : ગેનીબેન
રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર મફત સારવાર આપે- ગેનીબેન
હાલ કોરોના મહામારી બાદ રાજ્યમાં બ્લેક ફંગસનું પ્રમાણ વધી રહ્યું છે, બ્લેક ફંગસ દર્દીઓની સારવાર માટે દર્દીના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મ્યુકર્માઈકોસિસના દર્દીઓને ફ્રીમા સારવાર મળે તે માટે રજૂઆત કરી છે.
ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને
રાજ્યમાં કોરોના કહેરની લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી મ્યુકોરર્માઇકોસિસ માટે દર્દીઓની નિ:શુલ્ક સારવાર આપવામાં આવે તેવી માંગ કરી છે, પત્રમાં ધારાસભ્ય ગેનીબેને જણાવ્યું છે કે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ મફતમાં સારવાર આપવામાં આવે તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે.
અગાઉ પણ જિલ્લા કલેક્ટરને એમ્બ્યૂલન્સ માટે કરી હતી રજૂઆત
મહત્વનું છે કે આ અગાઉ પણ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લા કલેકટરને પત્ર લખી વાવ અને ભાભરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ માટે નાણાં વાપરવા માટે લેખિત રજુઆત કરી ચૂક્યા છે,કોરોનાની ત્રીજી લહેરમાં આયોજન માટે તૈયારીના ભાગે રૂપે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે એમ્બ્યૂલન્સ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.કોરોના બાદ રાજ્યમાં મ્યુકોરર્માઇકોસિસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ મ્યુકોરર્માકોસિસમાં દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનની પણ અછત જોવા મળે છે હજુ કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ સેવવામાં આવી રહી છે ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મ્યુકોરર્માઈકોસિસના દર્દઓનો નિ:શુલ્ક સારવાર મળે તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.