આજે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના તેમજ આરાધના કરવાનો મહિમા અનેરો હોય છે. શિવભક્તો પૂજા-અર્ચનાની સાથે ઉપવાસ પણ રાખે છે અને ફરાળી વાનગીઓનો સ્વાદ પણ માણે છે.
આજે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના તેમજ આરાધના કરવાનો મહિમા અનેરો
શિવભક્તો પૂજા-અર્ચનાની સાથે ઉપવાસ પણ રાખે છે
સમયની સાથે ઉપવાસમાં આરોગવામાં આવતાં ફરાળમાં પણ બદલાવ આવ્યો
આજે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના તેમજ આરાધના કરવાનો મહિમા અનેરો હોય છે. શિવભક્તો પૂજા-અર્ચનાની સાથે ઉપવાસ પણ રાખે છે અને ફરાળી વાનગીઓનો સ્વાદ પણ માણે છે ત્યારે સાબુદાણાની વિવિધ વાનગીઓ સાથે વેફરની લિજ્જત તો ખરી જ, પરંતુ ધીમે ધીમે બદલાતા જતા સમયની સાથે ઉપવાસમાં આરોગવામાં આવતાં ફરાળમાં પણ બદલાવ આવ્યો છે. સવારે બ્રેક ફાસ્ટ માટે ફરાળી ઇડલી, ફરાળી ચાટ સિહત ફિંગરિચપ્સ, સાબુદાણા અને મોરૈયા સહિત રાજગરા અને શિંગોડાના લોટમાંથી બનાવેલી વાનગીઓ, ફરાળી રગડા પેટીસ, ફરાળી પિઝા, ઢોકળાં ,ખાખરા, પૂરી, બફવડાં, બાસુંદી, શ્રીખંડ, ફરાળી કેક વગેરે અવનવી ફરાળી વાનગીઓ ખરીદવા દુકાનોમાં ભીડ જામી રહી છે. રતાળુની વેફર અને પોટેટો ફજ એટલે કે બટાકાનો શીરો, બર્ગર અને સેન્ડિવચ સાબુદાણા વડાં, કટલેસ, ફ્રેંકી, પફ, દહીંવડાં, પાત્રાં સહિતની વાનગીઓની લિજ્જત માનવા લોકો ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ભીડ જમાવી રહ્યા છે.
મંદિરના પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો
દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રિની આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થઇ રહી છે. શહેર-જિલ્લાનાં શિવાલયો આજે વહેલી સવારથી 'બમ બમ ભોલે...'ના નાદથી ગૂંજી ઊઠ્યાં છે. વહેલી સવારથી વિવિધ શિવાલયોમાં સવારથી જ પૂજા-અર્ચના માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. હર હર મહાદેવના જય ઘોષ સાથે શિવ દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણી જગ્યાએ ભોળા શંભુને ઘીનાં કમળ પણ અર્પણ કરાયાં હતાં, સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. મંદિરના પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો છે. મંદિર પરિસરમાં ભાંગ, બીલીપત્ર, ધતૂરો ,બીલીફળ, ફૂલ સહિતની પૂજા સામગ્રી વેચાઈ રહી છે.
ઠેર ઠેર પૂજા, અભિષેક સહિતના કાર્યક્રમોનું આયોજન
સમગ્ર વર્ષ દરમિયાન મહાદેવને કરેલી શિવપૂજાનું જેટલું પુણ્ય હોય તેટલું પુણ્ય આજે મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. આજે મહાશિવરાિત્ર હોવાથી ઠેરઠેર ચાર પ્રહરની પૂજા, અભિષેક, શિવમહિમ્ન સ્તોત્ર, ભજન-કીર્તન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઇને શિવજીની આરાધના પણ કરી રહ્યા છે.
મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અદકેરું માહાત્મ્ય ધરાવે છે. મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વાર આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.