ભાવનગર ખાતે ABVP દ્વારા 54માં અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ આભાર વિધિ દરમિયાન ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અમર આચાર્યની જીભ લપસી હોવાનું સામે આવ્યું છે.
ABVPના મંત્રી અમર આચાર્યની જીપ લપસી
CM ભુપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી તરીકે કર્યુ સંબોધન
ભુલ ધ્યાને આવતા જ સોરી કહી વાત ને ટાળી
ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54માં અધિવેશન યોજાયું હતું. ત્યારે ABVPના મંત્રી અમર આચાર્યની જીપ લપસી હતી. તેમણે CM ભુપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી તરીકે સંબોધન કરી ભાંગરો વાટયો હતો. જોકે ભુલ ધ્યાને આવતા જ સોરી કહી વાતને ટાળી હતી. જેને લઈને ઉપસ્થિત લોકોમાં થોડીવાર માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
ભૂલથી બોલાઈ ગયું હો....
ભાવનગરમાં એબીવીપીના 54માં અધિવેશનનો કાર્યક્રમમાં ABVPના મંત્રી અમર આચાર્યએ લોચો મારતા ચર્ચાનો વિષય બન્યો હતો. કાર્યક્રમમાં આભારવિધિ દરમિયાન ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી ગણાવ્યા હતા. જોકે, ભૂલ ધ્યાને આવતા સોરી કહી મુખ્યમંત્રી સામે જોઈ કહ્યું હતું કે, ભૂલથી બોલાઈ ગયું હો.આ ઘટનામાં લોકોમાં થોડીવાર માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
ABVPના 54માં અધિવેશનનો યોજાયો હતો કાર્યક્રમ
ભાવનગરમાં આજથી ત્રિદિવસય ABVP ગુજરાત પ્રદેશમાં 54 માં અધિવેશનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એ.બી.વી.પી.એ લોકો સુધી પહોંચાડી છે.