સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તાર જમીનમાં ડાટેલી હાલતમાં મળી આવેલી બાળકીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અત્યારે હાલમાં તે બાળકીની હાલત નાજૂક છે. બાળકીની તબિયત લથડતા તેને વેન્ટિલેટર પર મુકાઇ છે. આ તરફ બાળકીની હાલ એક જ કિડની કાર્યરત હોવાની સાથે બાળકીના મગજ અને બ્લડમાં ઇન્ફેક્શન વધ્યું છે. જેને લઈ હવે ઇન્ફેક્શન વધતા બાળકીની વધુ સારવાર શરૂ કરાઇ છે.
જીવિત દાટવામાં આવેલી બાળકીની હાલત નાજૂક
તાજેતરમાં સાબરકાંઠાના ગાભોઈમાં જીવિત દાટવામાં આવેલી બાળકીની હાલત હાલ નાજુક હોવાનું સામે આવ્યું છે. હાલ તે બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે જમીનમાં દાટવામાં આવેલી બાળકીની હાલત નાજુક છે. બાળકીની તબિયત લથડતા તેને વેન્ટિલેટર પર મુકાઇ છે. હોસ્પિટલનઅ સૂત્રો મુજબ બાળકીની હાલ એક જ કિડની કાર્યરત છે. આ સાથે બાળકીના મગજ અને બ્લડમાં ઇન્ફેક્શન વધ્યું હોઇ બાળકીની વધુ સારવાર શરૂ કરાઇ છે. બાળકીને બ્લડની જરૂર પડતાં રક્તકણ અને શ્વેતકણ અપાયા છે. આ સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે બાળકીની સારવારમાં તૈનાત છે.
માતા-પિતાએ કૃત્ય કર્યું હોવાનું સ્વીકાર્યું
હિંમતનગરના ગાંભોઈ વિસ્તાર જમીનમાં ડાટેલી હાલતમાં મળી આવેલી બાળકીને તેના માતા-પિતાએ જ જીવિત દાટી હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું. જે બાદમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં બાળકીના માતાપિતાને ઝડપી પાડયા હતા. આ તરફ પોલીસની પૂછપરછમાં આર્થિક સંકડામણમાં બાળકીના માતા-પિતાએ આ કૃત્ય કર્યું હોવાનું સ્વીકાર્યું છે.
શું હતો સમગ્ર મામલો
હિંમતનગરના ગાંભોઈ UGCVL ઓફિસની બાજુમાં એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જેથી ત્યાં હાજર શ્રમિકોએ રડવાનો અવાજ આવતા તેઓએ સ્થાનિકોને જાણ કરી હતી. જેથી બાળકના રડવાના અવાજના પગલે જ્યારે જમીન ખોદવામાં આવી તો અંદરથી જીવિત હાલતમાં બાળકી મળી આવી. આથી, તુરંત બાળકીને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાઈ. જે બાદમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવતા નવજાતને જમીનમાં દાટનારા માતા-પિતાને પોલીસે ઝડપી પાડયા હતા.