રાજકોટમાં પરિણીતા પર સામૂહિક બળાત્કાર મામલે નાટકીય વળાંક આવ્યો છે.ગેંગરેપનો આક્ષેપ કરનારી પરિણીતા પોલીસની પૂછપરછમાં ભાંગી પડી હતી.અને સમગ્ર નાટક તેના પતિએ રચ્યું હોવાનું જણાવ્યું હતું.
પરિણીતાના જણાવ્યા મુજબ તેના પતિના કહેવા પર તેને ગેંગરેપનો આક્ષેપ કર્યો હતો.અને તેને છરીના ઘા પણ તેના પતિએ જ માર્યા હતા.પત્નીના અનૈતિક સંબંધના શકને લઈને પતિએ આ કાવતરું રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે.તો પોલીસે મામલતદારની હાજરીમાં પીડિતાની ફરિયાદ નોંધી છે.અને આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પડોશમાં રહેતા કેટલાક લોકો પર પોતાના પર ગેંગરેપ કર્યો હોવાની ફરીયાદ એક પરિણીતાએ નોંધાવી હતી જેને પગલે પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધીને પુછપરછ હાથ ધરતા સમગ્ર ઘટનાક્રમ ખોટો હોવાની વાત કરી તે પડી ભાંગી હતી.