શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે પૂજાના ઉપયોગ માટે લીધેલ નાળિયેર ખરાબ નીકળે. ક્યારેક ને ક્યારેક તો આવી ઘટનાઓ બની જ હોય છે જે માનવીને કોઇને કોઇ રીતે યાદ રહે છે.
જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે ઉપાસકને એવું લાગે છે કે આ નાળિયેરનો દુકાનદાર પર ઘા કરી આવું કારણ કે આ ઘટનાથી મન વ્યાકૂળ થઇ ઉઠે છે અને શંકાના વાદળો ઘેરાવા લાગે છે. ત્યારે અમે આપને જણાવીશું કે પૂજાના ઉપયોગમાં લીધેલ નાળિયેર ખરાબ નિકળે તો તે અશુભ સંકેત આપતું નથી પરંતુ તેની પાછળ ભગવાનનો કોઇ ખાસ સંદેશ છૂપાયેલ હોય છે.
આપને જણાવી દઇએ કે નારિયેળને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજામાં નારિયેળનું હોવું અતિ આવશ્યક માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે પૂજાના ઉપયોગમાં લીધેલ નારિયેળ જો ખરાબ નીકળે તો તેનો મતલબ અશુભ થશે તેવું માનવામાં આવે છે પરંતુ ખરાબ નારિયેળ એક વિશેષ સંદેશ આપે છે.
એવું માનવામાં આવે છે કે નારિયેળ ફોડતી વખતે ખરાબ નીકળે તો તેનો અર્થ થાય છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. એટલા માટે તે અંદરથી ખરાબ થઇ ગયું છે.
આ સમયે જો તમે ભગવાન પાસે કોઇ ઇચ્છા વ્યક્ત કરો તો તે ઇચ્છા ભગવાન જરૂર પુરી કરે છે. અત્રે જણાવી દઇએ કે નારિયેળ ફોડતી વખતે જો નારિયેળ સારું નીકળે તો તમામ લોકોને વહેંચવાથી શુભ થાય છે.