મિતાલી રાજના આક્ષેપ બાદ આજે તેના કોચે મોન તોડ્યું છે. મિતાલીના કોચ રમેશ પવારે જણાવ્યું કે તેના માટે મિતાલીને સંભાળવી ખુબ મુશ્કેલ છે. જેથી તેની અને મિતાલી વચ્ચે તણાવ ભર્યો માહોલ છે. આ સાથે જ તેણે ટી-20 વર્લ્ડ કરની સેમીફાઈનલમાં મિતાલીને બહાર રાખવા મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે.
કોચ રમેશ પવારે કહ્યું કે મિતાલીને સેમિફાઈનલમાંથી બહાર રાખવા પાછળનું કારણ ક્રિકેટ સાથે જોડાયેલું છે. મહત્વનું છે કે રમેશ પવાર BCCI સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ સંચાલક સબા કરીમ સાથે મળે તે પહેલા જ મિતાલીએ તેના પર પક્ષપાતનો આરોપ લગાવી દીધો છે.
મિતાલીએ BCCI સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે એડલજી અને પોવારે મારી કારકિર્દી ખતમ કરવાનો પેંતરો ઘડ્યો હતો અને આ માટે જ ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન વારંવાર મારું અપમાન કર્યું હતું.