કોચ તરફથી મૅચ પેહલા શારીરિક સંબંધ કરવાની સલાહથી ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ હેરાન થઇ ગયા અને બધાએ આ સલાહ માનવાની તદ્દન ના પાડી દીધી હતી.
ભારતીય ખેલાડીઓને આપી સંભોગ કરવાની સલાહ
કોચે પોતાની ભૂલ સ્વીકારી
દિગ્ગજ ખેલાડીઓના નામ આવ્યા સામે
કોચે ખેલાડીઓને મૅચ પહેલા સંભોગ કરવાની સલાહ આપી
મેદાન પર મૅચ જીતવા માટે ટ્રેનીંગ આપવામાં આવે છે પરંતુ તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે, ભારતીય ટીમના કોચે ખેલાડીઓને મૅચ પહેલા સંભોગ કરવાની સલાહ આપી હતી. ભારતીય ટીમના મેન્ટલ એન્ડ કંડીશનિંગ કોચ રહી ચુક્યા પેડ્ડી અપ્ટને તેમની પુસ્તક ધ બેયરફુટ કોચમાં લખ્યું છે કે, તેમણે ભારતીય ખેલાડીઓને મૅચ પેહલા શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું.
પેડ્ડી અપ્ટને તેમની પુસ્તકમાં લખ્યું છે કે, ટીમ ઇન્ડિયાને સંભોગ કરવાની સલાહથી હેડ કોચ ગેરી કર્સ્ટન ગુસ્સે થઈ ગયા હતા. આખરે, પેડ્ડીને પોતાની ભૂલ સમજાઈ કે, આવી સલાહ આપવી યોગ્ય નથી. પેડ્ડી રાજસ્થાન રોયલ્સના પણ મેન્ટલ એન્ડ કંડીશનિંગ કોચ રહી ચુક્યા છે.
ઇગો એન્ડ ગ્રેટેસ્ટ પ્રોફેશનલ એરર
અપ્ટનએ તેમની પુસ્તકમાં રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, જેવા ખેલાડીઓને આ સલાહ આપવાનો ઉલ્લેખ કર્યો છે. અપ્ટનએ પુસ્તકના ઇગો એન્ડ ગ્રેટેસ્ટ પ્રોફેશનલ એરર નામના ચેપ્ટરમાં આનો ઉલ્લેખ કર્યો છે.
પેડ્ડીએ પોતાની ભૂલ સ્વીકારતા ભારતીય ટીમને માફી તો માંગી લીધી હતી પરંતુ વ્યક્તિગત મંતવ્ય વિષે જણાવતા કહ્યું કે, તે આ વાતથી સહમત છે કે, મૅચ પહેલા સંભોગ કરવાથી માનસિક શાંતિ મળે છે. અને તે મૅચ દરમિયાન સ્ટ્રેસ વિના સારું પ્રદર્શન આપવામાં પ્રેરિત કરે છે.